નવી દિલ્હી: દેશ-દુનિયાના તમામ આજના સમાચાર વિશે અમે તમને જણાવી રહ્યા છીએ. જનતા દળ યૂનાઇટેડ (JDU)ના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થયુ છે તેમના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામમાં કરવામાં આવશે. બીજી તરફ આજથી હૉકી વર્લ્ડકપનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ભારત અને સ્પેન વચ્ચે મેચ રમાશે.
Advertisement
Advertisement
નડિયાદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું મોત, અમદાવાદમાં મહિલાને ઇજા
રાજ્યમાં ચાઇનીઝ દોરી પર હાઇકોર્ટના કડક ઠપકા પછી અને પ્રતિબંધ હોવા છતા બેફામ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. નડિયાદમાં રેલ્વે કર્મચારી વિપુલભાઇ ઠક્કર (38) બાઇક લઇને પોતાના મિત્રને મળવા જતા હતા આ દરમિયાન પતંગનો દોરો તેમના ગળામાં ઘસાતા તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું નિધન થયુ હતુ. બીજી તરફ અમદાવાદના હાટકેશ્વરમાં 45 વર્ષીય દિપીકા ગૌસ્વામી કામ અર્થે એક્ટિવા પર પ્રસાર થતા હતા આ દરમિયાન ચાઇનીઝ દોરી તેમના ગળાના ભાગે વાગતા લોહી લુહાણ થઇ ગયા હતા. તેમણે સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, કચ્છમાં 14-15 કોલ્ડ વેવની આગાહી
અમદાવાદ શહેરમાં એક દિવસમાં લઘુતમ તાપમાનનો પારો 3.6 ડિગ્રી ઉચકાતા ઠંડીનું જોર ઘટી ગયુ છે. જોકે, હવામાન વિભાગ અનુસાર અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગુરૂવાર રતથી તાપમાનનો પારો ગગડવાનો શરૂ થશે. આગામી દિવસોમાં ફરી એક વખત ઠંડીનું જોર વધશે તેવું હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, મધ્ય પ્રદેશના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર થશે
જનતા દળ યૂનાઇટેડ (JDU)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન થયુ છે. ગુરૂવાર રાત્રે ગુરૂગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે 75 વર્ષા હતા. શરદ યાદવના પાર્થિવ શરીરને છત્તરપુરમાં સ્થિત 5 વેસ્ટર્ન (DLF) ઘરે દર્શન માટે રાખવામાં આવ્યા છે. પરિવારજનોએ તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ દર્શન માટે કેટલાક મોટા નેતા પહોચી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદ યાદવના અંતિમ સંસ્કાર શનિવારે મધ્ય પ્રદેશમાં તેમના પૈતૃક ગામમાં થશે.
PM મોદીએ વિશ્વના સૌથી મોટા રિવર ક્રૂઝનું ઉદ્દઘાટન કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા રિવર ક્રૂઝ ગંગા વિલાસને લીલી ઝંડી બતાવી છે. આ ક્રૂઝ વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધી ચાલશે. આ સાથે જ પીએમ મોદીએ 1000 કરોડની અન્ય પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો.
12 દિવસમાં 5.4 સેન્ટીમીટર ધસ્યુ જોશીમઠ, ISROની સેટેલાઇટ ઇમેજથી થયો ખુલાસો
ISROના નેશનલ રિમોટ સેન્સિગ સેન્ટર (NRSC)એ જોશીમઠની સેટેલાઇટ તસવીર અને જમીન ધસવાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેનાથી ખબર પડે છે કે આખુ શહેર ધસી શકે છે. આ તસવીર કાર્ટોસૈટ-2એસ સેટેલાઇટથી લેવામાં આવી છે. ઇસરોના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરથી જાહેર કરવામાં આવેલી તસવીરમાં સેનાના હેલીપેડ અને નરસિંહ મંદિર સહિત આખા શહેરને સંવેદનશીલ વિસ્તારના રૂપમાં બતાવવામાં આવ્યું છે.
દિલ્હી: કંઝાવલા કેસમાં ગૃહમંત્રાલયને રિપોર્ટ સોપવામાં આવ્યો, વિસ્તારમાં તૈનાત પોલીસ કર્મી સસ્પેન્ડ
દિલ્હીના કંઝાવલા કેસમાં દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રાલયને પોતાનો રિપોર્ટ સોપી દીધો છે. રિપોર્ટ સોપવામાં આવ્યા બાદ પોલીસે 3 પીસીઆર વેન અને 2 ચોકીમાં તૈનાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. મહત્વપૂર્ણ છે કે જે સમયે કંઝાવલામાં યુવતીનો અકસ્માત થયો હતો, આ પોલીસ કર્મી તે સમયે ફરજ પર હતા. ગૃહમંત્રાલયે આ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને આદેશ આપ્યા છે.
નાસિકમાં બસ અકસ્માત થતા 10 સાઇ ભક્તોના મોત
મહારાષ્ટ્રના નાસિકમાં સાઇબાબાના ભક્તોને લઇને જતી બસ ટ્રક સાથે ટકરાતા 10 લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. નાસિક પોલીસે આ ઘટનાની પૃષ્ટી કરી છે. આ દૂર્ઘટના નાસિક-અહેમદનગર રોડ પર સર્જાઇ હતી. મુખ્યમંત્રી કાર્યાલયે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે
પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકી ષડયંત્ર નિષ્ફળ
પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીમાં આતંકીઓના ષડયંત્રને નિષ્ફળ કરતા બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આતંકી સંગઠનો સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી છે.આરોપીઓમાં એક જગજીત સિંહ ઉર્ફ જગ્ગા (29) ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરનો રહેવાસી છે જ્યારે બીજો નૌશાદ (56) દિલ્હીના જહાંગીરપુરીનો રહેવાસી છે. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્ટોલ અને 22 જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
હૉકી વર્લ્ડકપનો આજથી પ્રારંભ: પ્રથમ દિવસે કુલ ચાર મેચ, ભારત સ્પેન સામે ટકરાશે
હૉકી વર્લ્ડકપ 2023ના મુકાબલાની શરૂઆત આજથી થવા જઇ રહી છે. પ્રથમ દિવસે કુલ 4 મેચ રમાશે. ભારતીય ટીમ સ્પેન સામે ટકરાશે. આ પહેલા ઉદ્દઘાટન મેચમાં આર્જેન્ટીના અને સાઉથ આફ્રિકાની ટીમ આમને સામને હશે. બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ વચ્ચે રમાશે. ત્રીજી મેચ ઇંગ્લેન્ડ અને વેલ્સ વચ્ચે રમાશે જ્યારે ચોથી અને અંતિમ મેચ ભારત અને સ્પેન વચ્ચે રમાશે.
ભારતે બીજી વન ડે મેચમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું
ટી-20 પછી ભારતે શ્રીલંકા વિરૂદ્ધ વન ડે સીરિઝ પણ જીતી લીધી છે. 3 મેચની હોમ સીરિઝમાં ભારતીય ટીમે 2-0ની લીડ મેળવી લીધી છે. કોલકાતામાં રમાયેલી બીજી વન ડે મેચમાં ભારતે 4 વિકેટે જીત મેળવી હતી.
કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 39.4 ઓવરમાં 215 રન બનાવ્યા હતા. ભારતીય સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી હતી. જવાબમાં બારતીય ટીમે 43.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ પડકારને મેળવી લીધો હતો. ભારત તરફથી લોકેશ રાહુલે અણનમ 64 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
ભારત સામે ટી-20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, સેન્ટનર કેપ્ટન
ભારત પ્રવાસે માટે ન્યૂઝીલેન્ડે ટી-20 ટીમની જાહેરાત કરી છે. મિશેલ સેન્ટનરને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સીરિઝ માટે અનકેપ્ડ બેન લિસ્ટરને સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડકપ પછી ટી-20 કેપ્ટનનું પદ છોડનારા કેન વિલિયમસનને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. ન્યૂઝીલેન્ડ ભારત સામે 18 જાન્યુઆરીથી ત્રણ વન ડે મેચ રમશે તે પછી 27 જાન્યુઆરીથી 3 ટી-20 મેચની સીરિઝ રમશે.
ન્યૂઝીલેન્ડની ટી-20 ટીમ: મિશેલન સેન્ટનર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, માર્ક ચૈપમેન, ડેન ક્લીવર, ડેવોન કૉનવે, જૈકબ ડફી, લૉકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપલે, ઇશ સોઢી, બ્લેયર ટિકનર
Advertisement