ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદ કરીને કહ્યુ કે કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદીને રાવણ કહ્યા છે. પાત્રાએ કહ્યુ કે આ રીતે દેશના વડાપ્રધાનને ગાળ આપવી, આ રીતની ભાષામાં વાત કરવી નિંદનીય છે, આ કોંગ્રેસના વિચાર બતાવે છે. પાત્રાએ કહ્યુ કે ગુજરાતની પવિત્ર માટીને પ્રણામ છે કે તેમણે દેશને આવા સપૂત આપ્યા.
Advertisement
Advertisement
સંબિત પાત્રાએ કહ્યુ કે જે વ્યક્તિનું માન-સમ્માન આખી દુનિયામાં ફેલાયેલુ છે, તેની માટે આવા શબ્દના પ્રયોગ કરવા દેશનું અપમાન છે. સંબિત પાત્રાએ એવો પણ આરોપ લગાવ્યો કે આ નિવેદન ખડગે નહી પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નિવેદન છે. આ લોકોએ એક મહેનત કરનારા ગુજરાતીને જ્યારે મોતના સોદાગર કહ્યા હતા તો જનતાએ તેમણે જવાબ આપ્યો હતો.
ભાજપના પ્રવક્તાએ કહ્યુ કે કોંગ્રેસના એક નેતા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યુ કે પીએમ મોદીને તેમની ઔકાત બતાવી દઇશુ, તેમણે કહ્યુ કે આખી દુનિયામાં ભારત 5માં નંબરની આર્થિક શક્તિ બને છે તો તે પીએમ મોદીએ કર્યુ છે. પાત્રાએ કહ્યુ કે તેમણે તમે શું ઔકાત બતાવશો! પીએમ મોદીએ તો સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ઔકાત બતાવી. પાત્રાએ કહ્યુ કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ કેટલી સારી રીતે આગળ વધી રહ્યુ છે. એવામાં આ રીતના નિવેદન સામે આવે છે.
આ પણ વાંચો: ખડગેના મોદી પર ‘રાવણ’ના નિવેદનથી ભાજપ થઇ લાલચોળ
સંબિત પાત્રાએ કહ્યુ કે મને લાગે છે કે જ્યારે તૃષ્ટિકરણ કરનારા નેતા ગાળ બોલે છે તો આ વાતના પુરાવા છે કે તેમનું શું સ્તર છે? પાત્રાએ કહ્યુ કે તે દરેક ગુજરાતીને અપીલ કરે છે કે જે રીતે પીએમ મોદી વિશે ખોટા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આમ કરનારા લોકને પાઠ ભણાવવામાં આવે. જે દેશને ખંડિત જોવા માંગે છે તે પીએમ મોદીને ગાળ બોલવાનું કામ કરે છે. પાત્રાએ કહ્યુ કે દરેક ગુજરાતીને અપીલ છે કે જે પાર્ટીના નેતાએ ગુજરાતના પુત્ર માટે આવા શબ્દનો ઉપયોગ કર્યો તેમણે પાઠ ભણાવો. પોતાના ઘરમાંથી બહાર નીકળીને આવી તમામ વિચારધારા વિરૂદ્ધ વોટ કરો.
Advertisement