રશિયાના કબજા ધરાવતા ક્રીમિયા ટાપુના એક પુલ પર વિસ્ફોટ પછી રશિયા આક્રમક બન્યુ છે. રશિયાએ યૂક્રેનના કેટલાક વિસ્તારમાં મિસાઇલ હુમલા કર્યા છે. કહેવામાં આવે છે કે સોમવારે રશિયા તરફથી યૂક્રેન પર 75 મિસાઇલ છોડવામાં આવી હતી.
Advertisement
Advertisement
રશિયાના હુમલાને કારપેટ-બોમ્બમારો કહેવામાં આવી રહ્યો છે. યૂક્રેનની જાસુસી એજન્સી એસબીયૂ (SBU)ના કાર્યાલયને પણ રશિયા તરફથી નિશાન બનાવવાનો રિપોર્ટ છે. છેલ્લા 8 મહિનામાં રશિયાએ મોટાભાગે યૂક્રેનની સેન્ય છાવણી પર જ હુમલા કર્યા હતા પરંતુ કેર્ચ-પુલ પર થયેલા વિસ્ફોટ બાદ યૂક્રેનના રહેણાક વિસ્તારને નિશાન બનાવવામાં આવી રહ્યુ છે. ક્રીમિયા પુલ વિસ્ફોટ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યૂક્રેન વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા સ્પેશ્યલ મિલિટ્રી ઓપરેશનના જોઇન્ટ ગ્રુપ ઓફ ફોર્સેજની કમાન નવા જનરલ સર્જેઇ સુરોવિકિનને સોપી છે જે સીરિયામાં કાર્પેટ બોમ્બિંગ માટે જાણીતા હતા અને જેમણે સીરિયામાં યુદ્ધની હવા બદલી નાખી હતી.
રશિયા હુમલા પર જેલેંસ્કીનું નિવેદન
રશિયાના હુમલાને લઇને યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ કહ્યુ કે દેશભરમાં થયેલા હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. જેલેંસ્કીએ કહ્યુ છે કે રશિયા હુમલાઓ યૂક્રેનને ઉર્જાના પાયાના ઢાંચાને નિશાન બનાવ્યુ છે. જેલેંસ્કી તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં શહેરના કેટલાક ભાગમાં ધુમાડો જોવા મળ્યો હતો. ક્રીમિયાના પુલ વિસ્ફોટ બાદ આક્રમક પુતિને ક્રેમલિનમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવી હતી.
લોકોને સુરક્ષિત સ્થળો પર રહેવા માટે કહેવામાં આવ્યુ
યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરિલો ટિમોશેંકેઓ સોશિયલ મીડિયા દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોમાં રોકાવવાનું આહવાન કરતા કહ્યુ કે યૂક્રેનમાં મિસાઇલ હુમલા થઇ રહ્યા છે, તેમણે કહ્યુ કે દેશના કેટલાક શહેરોમાં હુમલાની સૂચના છે. કીવ તરફથી કહેવામાં આવ્યુ કે સોમવાર સવારે રશિયાએ યૂક્રેન પર 75 મિસાઇલ છોડી છે.
આ પણ વાંચો: ડોલર સામે પાકિસ્તાની રૂપિયાએ કરી જોરદાર વાપસી, જાણો શું છે કારણ
સમાચાર એજન્સી અનુસાર, યૂક્રેનના પાટનગર કીવમાં સવારે સાડા આઠ વાગ્યે હુમલો કરવામાં આવ્યો. તે બાદ વિસ્ફોટ ધરાવતી જગ્યા તરફ કેટલીક એમ્બ્યુલન્સને આવતી જોવામાં આવી છે. સોમવાર સવારે કીવમાં ઓછામાં ઓછા પાંચ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી કે રાજધાની કીવના કેન્દ્રમાં શેવચેનકિવસ્કી જિલ્લામાં કેટલાક વિસ્ફોટ થયા છે.
ક્રીમિયા પુલ વિસ્ફોટનો બદલો લઇ રહ્યા છે પુતિન!
આ પહેલા કીવ પર રશિયાએ 26 જૂને અંતિમ હુમલો કર્યો હતો. રશિયન હુમલા તેના યૂક્રેન પર ક્રીમિયા પુલ વિસ્ફોટનો આરોપ લગાવવાના એક દિવસ પછી શરૂ થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રીમિયા પુલ વિસ્ફોટને આતંકી હુમલો ગણાવ્યો છે. જોકે, વિસ્ફોટની જવાબદારી કોઇએ લીધી નથી પરંતુ પુતિને તેની માટે યૂક્રેન અને યૂરોપ પર આરોપ લગાવ્યો છે.
Advertisement