નવી દિલ્હી: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને દિલ્હીની કોર્ટે સલાહ આપતા કહ્યુ કે તે સમજી વિચારીને બોલે. કોર્ટે તેજસ્વીના જામીન રદ કરનારી અરજી પર નિર્ણય સંભળાવતા આ વાત કહી હતી. કોર્ટે જામીન રદ કરવાનો આદેશ કર્યો નહતો. એવામાં તેજસ્વી યાદવ માટે આ રાહતની વાત છે. જોકે, કોર્ટે કહ્યુ કે તે બંધારણીય પદ પર છે માટે સાચા શબ્દોની પસંદગી કરો.
Advertisement
Advertisement
તેજસ્વી યાદવ IRCTC કૌભાંડમાં દિલ્હીની રાઉજ એવેન્યૂ સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન તેમણે સીબીઆઇની અરજીનો વિરોધ કરતા તેના નામંજૂર કરવાની માંગ કરી હતી. જોકે, કોર્ટે કહ્યુ કે જામીન રદ કરવાનો કોઇ આધાર નથી,માટે સીબીઆઇની અરજી મંજૂર ના કરી શકાય. કોર્ટ વિસ્તારથી તેની પર નિર્ણય જાહેર કરશે.
તેજસ્વી યાદવે કોર્ટમાં શું કહ્યું?
તેજસ્વી યાદવે કહ્યુ કે તે વિપક્ષમાં છે અને સરકારના ખોટા કામો પર સવાલ ઉઠાવવા તેમની ડ્યૂટી છે. વર્તમાન સરકાર સીબીઆઇ અને ઇડીનો દૂરઉપયોગ કરી રહી છે. તમામ વિપક્ષી દળને આ જ લાગે છે. તેજસ્વી યાદવે પોતાના જવાબમાં કહ્યુ કે સીબીઆઇએ પત્રકાર પરિષદમાં તેમના દ્વારા ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તે પ્રેસ કોન્ફરન્સ કોઇ બીજા મુદ્દાને લઇને હતી, તેમાં આઇઆરસીટીસી કૌભાંડનો ઉલ્લેખ નહતો.
આ પણ વાંચો: CBIની પૂછપરછમાં BJP જોઇન કરવાનું દબાણ કરવામાં આવ્યું-સિસોદિયાનો આરોપ, કેન્દ્રીય એજન્સીએ આરોપ ફગાવ્યા
બીજી તરફ કેન્દ્રીય તપાસ એજન્સીએ પોતાની અરજીમાં તેજસ્વી યાદવના જામીન રદ કરવાની માંગ કરી હતી. સીબીઆઇએ પહેલા આરોપ લગાવ્યો હતો કે ડેપ્યુટી સીએમ તેમણે ધમકાવી રહ્યા છે, તે તપાસને પ્રભાવિત કરી શકે છે. તેજસ્વી યાદવે મંગળવારે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો, તેમના વકીલે કહ્યુ કે તેજસ્વીએ સીબીઆઇને કોઇ રીતની ધમકી આપી નથી. માટે જામીન રદ કરવાની માંગ ધરાવતી અરજી ફગાવી દેવામાં આવે.
Advertisement