નવી દિલ્હી: કોંગ્રેસે બુધવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકને લઇને ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. CRPFએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને જવાબ સોપ્યો છે. સીઆરપીએફે ગૃહ મંત્રાલયને કહ્યુ કે રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધી 113 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. CRPF અનુસાર કેટલીક વખત ભારત જોડો યાત્રા દરમિયાન પણ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થયુ છે.
Advertisement
Advertisement
CRPFએ કોંગ્રેસના આરોપો પર ગૃહ મંત્રાલયને જણાવ્યુ કે ગાઇડલાઇન અનુસાર જ રાહુલ ગાંધીની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. CRPF અનુસાર, પ્રવાસ પર વ્યક્તિની સુરક્ષાની જવાબદારી રાજ્ય પોલીસના સમન્વયથી CRPFની હોય છે. ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકાર સહિત સબંધિત તમામ હિત ધારકોના ખતરાના આકલનના આધાર પર સલાહ જાહેર કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યુ- CRPF
CRPF અનુસાર, દરેક પ્રવાસ માટે એડવાન્સ સિક્યોરિટી લાયઝન (ASL) પણ કરવામાં આવે છે. રાહુલ ગાંધીની દિલ્હી મુલાકાત પહેલા 22 ડિસેમ્બરે તમામ હિતધારકોને સામેલ કરીને ASL કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન તમામ સુરક્ષા દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું અને દિલ્હી પોલીસે માહિતી આપી છે કે સુરક્ષા કર્મચારીઓને પૂરતા તૈનાત કરવામાં આવ્યા હતા.
સીઆરપીએફના જણાવ્યા અનુસાર, જ્યારે સંરક્ષિત વ્યક્તિ પોતે નિર્ધારિત સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરે છે ત્યારે સંરક્ષિત વ્યક્તિ માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરે છે. રાહુલ ગાંધી દ્વારા કેટલીક જગ્યાએ નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન જોવામાં આવ્યું છે અને સમયાંતરે માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો: કોંગ્રેસે કહ્યું કે જો પોલીસ પ્રજ્ઞા ઠાકુર સામે કાર્યવાહી નહીં કરે તો તે કોર્ટમાં જશે
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સુરક્ષાની ચૂકનો આરોપ લગાવતા કેન્દ્રીય ગૃહમંત્રાલયને પત્ર લખ્યો હતો કોંગ્રેસનો આરોપ છે કે દિલ્હી પોલીસ રાહુલ ગાંધીની સુરક્ષાના મુદ્દામાં પુરી રીતે નિષ્ફળ રહી છે. કોંગ્રેસ મહાસચિવે પત્રમાં લખ્યુ હતુ, જેવી જ યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોચી, તે બાદ કેટલીક વખત રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી અને દિલ્હી પોલીસ ભીડને કાબુ કરવા અને તેમની ચારે તરફ સુરક્ષાના ઘેરાને મેન્ટેન કરવામાં નિષ્ફળ રહી હતી. રાહુલ ગાંધીને Z પ્લસ સિક્યુરિટી મળેલી છે. કેસી વેણુગોપાલે ફરિયાદમાં કહ્યુ કે તે બાદ સ્થિતિ બગડી ગઇ હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ભારત યાત્રામાં સામેલ યાત્રીઓને સુરક્ષાનો ઘેરો બનાવવો પડ્યો હતો.
કેસી વેણુગોપાલે લખ્યું, દિલ્હી પોલીસ મૂક પ્રેક્ષક રહી અને ભીડને રોકવામાં નિષ્ફળ રહી. આ સિવાય જે લોકો રાહુલ ગાંધીને મળી રહ્યા છે તેમને ડરાવવા માટે ઈન્ટેલિજન્સ બ્યુરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. IB તેની સતત પૂછપરછ કરી રહી છે.
Advertisement