કોંગ્રેસ નેતા જયરામ રમેશે પોલીસ પાસે બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Advertisement
Advertisement
ટ્વીટમાં તેમણે લખ્યું, “અમારા સાથીઓએ બેંગલુરુમાં નફરત ફેલાવનાર ભાષણ આપનાર સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો પોલીસ તેની અવગણના કરશે તો અમે આ મામલાને કોર્ટમાં લઈ જઈશું.”
પ્રજ્ઞા ઠાકુરે રવિવારે કર્ણાટકમાં ‘હિન્દુ જાગરણ’ કાર્યક્રમમાં કહ્યું હતું કે, “લવ જેહાદ કરનારાઓને લવ જેહાદ જેવો જવાબ આપો, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો.”
This is a police complaint filed by my colleagues in Bengaluru against the latest hate speech by the habitual offender Pragya Thakur, the BJP MP from Bhopal. We urge the police to take action as per the law. If the police ignores we will petition the courts. pic.twitter.com/RIztP8YzMA
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 28, 2022
શિવમોગ્ગાના હિંદુ કાર્યકર્તા હર્ષની હત્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે લોકોએ પોતાની સુરક્ષા માટે ઘરમાં વપરાતી છરીઓને તીક્ષ્ણ કરવી પડશે.
તેમણે કહ્યું હતું કે, “તમારા ઘરમાં હથિયાર રાખો, જો બીજું કંઈ નહીં, તો શાકભાજી કાપવા માટે રાખેલી છરીઓ ધારદાર રાખો. ખબર નહીં ક્યારે કેવી પરિસ્થિતિ સામે આવશે તે ખબર નથી. દરેક વ્યક્તિને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. જો કોઈ અમારા ઘરમાં ઘૂસીને હુમલો કરે તો તેને જવાબ આપવાનો અધિકાર છે.”
Advertisement