નવી દિલ્હી: અદાણી-હિંડનબર્ગ કેસ ચર્ચામાં છે. અદાણીના મુદ્દે મોદી સરકાર પર વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યુ છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદ કરીને અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ પર નિશાન સાધ્યુ હતુ. સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદ કરીને કહ્યુ કે ભારતના લોકતંત્રમાં દખલ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે એક વિદેશી તાકાત જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ છે, તેમણે જાહેરાત કરી કે તે ભારતના લોકતાંત્રિક માળખા પર પ્રહાર કરશે, તેમણે જાહેરાત કરી છે કે તે PM મોદીને તેમના પ્રહારનો મુખ્ય મુદ્દો બનાવશે.
Advertisement
Advertisement
જ્યોર્જ સોરોસના નિશાના પર પીએમ મોદી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદમાં કહ્યુ કે આજે એક નાગરિક તરીકે હું દેશની જનતાને આહવાન કરવા માંગુ છું કે એક વિદેશી શક્તિ છે જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ નામની વ્યક્તિ છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ ભારતના લોકશાહી માળખાને નુકસાન પહોચાડશે. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે તેમણે જાહેરાત કરી છે કે વડાપ્રધાન મોદીને તેના હુમલાનો મુખ્ય મુદ્દો બનાવશે, તેમણે જાહેરાત કરી છે કે તેઓ તેમની વિદેશી સત્તા હેઠળ ભારતમાં એવી વ્યવસ્થા બનાવશે જે તેમના હિતોનું રક્ષણ કરશે.
સ્મૃતિ ઇરાનીએ વધુમાં કહ્યું કે જ્યોર્જ સોરોસ કહે છે કે તે ભારતમાં મોદીને ઝુકાવી દેશે, ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ધ્વસ્ત કરશે, તેનો જડબાતોડ જવાબ દરેક ભારતીયે આપવો જોઇએ.
ખોટા ઇરાદા સામે માથુ નહી ઝુકાવે પીએમ મોદી
જ્યોર્જ સોરોસને સવાલ કરીને સ્મૃતિ ઇરાનીએ પૂછ્યુ કે આજે જ્યોર્જ સોરોસને આપણે એકસુરમાં આ જવાબ આપીએ કે લોકતાંત્રિક પરિસ્થિતિમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને આપણા વડાપ્રધાન આવા ખોટા ઇરાદા સામે માથુ નહી ઝુકાવે. અમે વિદેશી તાકાતોને પહેલા પણ હરાવી છે અને આગળ પણ હરાવીશું.
કોંગ્રેસે પણ જ્યોર્જ સોરોસ પર નિશાન સાધ્યુ
દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ જ્યોર્જ સોરોસના નિવેદનની ટિકા કરી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યુ કે PM સાથે જોડાયેલો અદાણી કૌભાંડ ભારતમાં લોકતાંત્રિક પુનરૂત્થાન શરૂ કરે છે કે નહી, આ પુરી રીતે કોંગ્રેસ, વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે, જેનું જ્યોર્જ સોરોસ સાથે કોઇ લેવા દેવા નથી. અમારી નેહરૂવાદી વિરાસત સુનિશ્ચિત કરે છે કે તેની જેવા લોકો અમારા ચૂંટણી પરિણામ નક્કી નથી કરી શકતા.
PM से जुड़ा अडानी घोटाला भारत में लोकतांत्रिक पुनरुत्थान शुरू करता है या नहीं, यह पूरी तरह कांग्रेस, विपक्ष व हमारी चुनाव प्रक्रिया पर निर्भर है।
इसका जॉर्ज सोरोस से कोई लेना-देना नहीं है।हमारी नेहरूवादी विरासत सुनिश्चित करती है कि उन जैसे लोग हमारे चुनाव परिणाम तय नहीं कर सकते।
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2023
જ્યોર્જ સોરોસે એવુ તો શું કહ્યું જેની પર વિવાદ થયો
જ્યોર્જ સોરોસ અમેરિકાના મોટા બિઝનેસમેન છે. દેશમાં ગરમાતા અદાણીના મુદ્દે તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. સોરોસે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી આ મુદ્દે શાંત છે. પરંતુ તેમણે સંસદમાં તેમજ વિદેશી રોકાણકારોના પ્રશ્નોના જવાબ આપવા પડશે. તેમણે મ્યુનિક સુરક્ષા પરિષદમાં આ વાતો કહી હતી. સોરોસે કહ્યું હતું કે અદાણી મુદ્દો ભારતની સંઘીય સરકાર પર મોદીની પકડને ખૂબ જ નબળી પાડશે. જ્યોર્જ સોરોસે આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં લોકતાંત્રિક પરિવર્તન થશે.
Advertisement