વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં દુનિયાના સૌથી લાંબા જળમાર્ગ પર ચાલનારી ક્રૂઝને લીલી ઝંડી બતાવી છે. સાથે જ ટેન્ટ સિટીનું પણ ઉદ્દઘાટન કર્યુ છે. ક્રૂઝની મુસાફરી વારાણસીથી શરૂ થઇ ગઇ છે. એમવી ગંગા વિલાસ ક્રૂઝ દુનિયાની સૌથી લાંબા જળમાર્ગ પર ચાલનારી ક્રૂઝ છે.
Advertisement
Advertisement
ઉદ્દઘાટન પછી વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આજે કાશીથી ડિબ્રૂગઢ વચ્ચે દુનિયાની સૌથી લાંબી નદી જળયાત્રા ગંગા વિલાસ ક્રૂઝનો પ્રારંભ થયો છે. આ પહેલા ભારતના અનેક પ્રવાસન સ્થળ વિશ્વ પ્રવાસન માનચિત્રમાં આવવાના છે.
સમારંભમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ કે ક્રૂઝ રાજ્યના 6 સ્થળ બક્સર, છપરા, પટણા, સિમરિયા, મુંગેર, સુલ્તાનગંજ અને કહલગાંવમાં રોકાશે. ક્રૂઝના બિહારથી પ્રવાસીઓને સંસ્કૃતિ અને ઇતિહાસનો પરિચય થશે. યાત્રાને સારી અને ગતિમાન બનાવવા માટે જિલ્લામાં એક એક નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, ત્રણ દિવસમાં રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસ પ્રવાસીઓને વારાણસી અને આસપાસના સ્થળોનો પ્રવાસ કરી સંસ્કૃતિનો અનુભવ કર્યો. કાશી આજે એક નવી ઓળખ સાથે આગળ વધી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યુ કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માંગુ છું, કારણ કે જે રિવર ક્રૂઝની શરૂઆત થઇ રહી છે તે કાશીથી આસામને પણ જોડી રહી છે. આ ક્રૂઝમાં જે મુસાફર આવશે તેમણે માં કામાખ્યાના દર્શન કરવાની પણ તક મળશે અને કાજીરંગા જોવા મળશે.
આ પ્રસંગે વારાણસીના રવિદાસ ઘાટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. આ સિવાય વડાપ્રધાને યૂપીના ચાર કોમ્યુનિટી જેટી અને કાશીમાં પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીનું પણ ઉદ્ધઘાટન કર્યુ હતુ.
Advertisement