શિલાંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાંગમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષીઓ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક લોકો જેમને દેશે નકારી દીધા છે, જે નિરાશામાં ડુબી ચુક્યા છે તે આજકાલ માળા જપે છે અને કહ છે કે મોદી તારી કબર ખોદાશે પરંતુ દેશનો ખુણે ખુણો કહી રહ્યો છે- મોદી તારૂ કમલ ખિલશે. દેશની જનતા આ પ્રકારના વિકૃત વિચાર અને ખોટી ભાષા બોલનારાઓને જડબાતોડ જવાબ આપશે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા પહેલા શિલાંગમાં રોડ શો કર્યો હતો, તેમણે રેલીમાં કહ્યુ કે જ્યારે હું મેઘાલય વિશે વિચારૂ છુ તો હું પ્રતિભાશાળી લોકો, જીવંત પરંપરા વિશે વિચારૂ છુ, અદભૂત પ્રાકૃતિક સૌદર્ય વિશે પણ વિચારૂ છુ. મેઘાલયનું સંગીત જીવંત છે. ફૂટબૉલ માટે જુનૂન છે. મેઘાલયના દરેક ખુણામાં રચનાત્કમતા છે. ભારત સફળતાની નવી ઉંચાઇઓ પર પહોચી રહ્યુ છે અને મેઘાલય તેમાં પોતાનું મજબૂત યોગદાન આપી રહ્યુ છે. અમે તેને આગળ વધારવા માંગીએ છીએ અને રાજ્ય માટે કામ કરવા માંગીએ છીએ.
હું તમારા આ દેવાને જરૂર ચુકવીશ
પીએમ મોદીએ કહ્યુ કે મેઘાલયના લોકો ચેમ્પિયન છે. આજે જે રીતે શાનદાર અને જાનદાર રોડ શો તમે કર્યો છે. તમારા આ પ્રેમ, આ આશીર્વાદ, હું તમારા આ કર્જને જરૂર ચુકવીશ. તમારા આ પ્રેમ અને આશીર્વાદનું કર્જ હું મેઘાલયનો વિકાસ કરીને ચુકવીશ, તમારા કલ્યાણના કામને ગતિ આપીને ચુકવીશ, તમારા આ પ્રેમને હું બેકાર નહી જવા દઉં. મેઘાલયમાં ચારે તરફ ભાજપ જ ભાજપ દેખાઇ રહ્યુ છે.
#WATCH | Some people who have been rejected by the country are immersed in sadness and are now saying 'Modi teri kabar khudegi' but the people of the country are saying 'Modi tera kamal khilega': PM Narendra Modi, in Shillong pic.twitter.com/ZfyKaPg2F9
— ANI (@ANI) February 24, 2023
રાજ્ય પીપલ ફર્સ્ટની સરકાર ઇચ્છે છે
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં નથી આવી. તમને નાના-નાના મુદ્દા પર વહેચવામાં આવ્યા. અહીના યુવાઓને ઘણુ નુકસાન થયુ છે. દિલ્હીમાં આવી રાજકીય પાર્ટીઓ છે, સાથે જ મેઘાલયમાં પણ છે, જે આ રાજ્યનો ઉપયોગ ATMની જેમ કરે છે. મેઘાલયની જનતા કમળ સાથે છે. અહીની જનતા ફેમિલી ફર્સ્ટની જગ્યાએ પીપલ ફર્સ્ટની સરકાર ઇચ્છે છે.
કમલનું ફૂલ મેઘાલયની મજબૂતીનું પ્રતીક બન્યુ
પીએમ મોદીએ કહ્યુ કે આજે કમળનું ફૂલ મેઘાલયની મજબૂતી, શાંતિ અને સ્થિરતાનું પ્રતીક બની ગયુ છે. લોકોને વહેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અમે તેમણે જોડ્યા છે. મેઘાલય હવે પૂર્વ તરફ જુવોની નીતિનો સ્તંભ બની રહ્યુ છે. મેઘાલયમાં ભાજપની સરકાર હશે તો મને દિલ્હીથી મેઘાલય વાસીઓની સેવા કરવાની તક મળશે.
Advertisement