નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણીને લઇને આસામ પોલીસે એક્શન લીધુ છે. મહત્વપૂર્ણ છે કે પવન ખેડા દિલ્હીથી રાયપુર કોંગ્રેસ અધિવેશનમાં સામેલ થવા જઇ રહ્યા હતા. તે રાયપુર જવા માટે ઇન્ડિગોના વિમાનમાં સવાર થઇ ગયા હતા પરંતુ તેમણે વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
પવન ખેડાને આસામ લઇને જશે પોલીસ
દિલ્હી પોલીસે કહ્યુ કે આસામ પોલીસના કહેવાથી કોંગ્રેસ નેતા પવન ખેડાને દિલ્હી એરપોર્ટ પર વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આસામ પોલીસના અધિકારી પ્રશાંત કુમાર ભુઇયાંએ કહ્યુ કે દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ સ્ટેશનમાં પવન ખેડા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
#WATCH | "We will see (in which case they are taking me). It's a long battle and I'm ready to fight," says Congress leader Pawan Khera as Delhi Police takes him after he was deboarded from an aircraft at Delhi airport pic.twitter.com/cKXeo6kSb4
— ANI (@ANI) February 23, 2023
આ તાનાશાહી વલણ- કોંગ્રેસ
કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી તેને લઇને એક ટ્વીટ કરવામાં આવ્યુ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આજે ઇન્ડિગોની ફ્લાઇટમાંથી સીનિયર નેતા દિલ્હીથી રાયપુર જઇ રહ્યા હતા. તમામ ફ્લાઇટમાં બેસી ગયા હતા, તે સમયે અમારા નેતા પવન ખેડાજીને ફ્લાઇટમાંથી નીચે ઉતરવા માટે કહેવામાં આવ્યુ. આ તાનાશાહી વલણ છે.
કોંગ્રેસે કહ્યુ કે, તાનાશાહે અધિવેશન પહેલા EDની રેડ કરાવી અને હવે આ રીતની હરકત પર ઉતરી આવ્યા છે.
કોંગ્રેસ નેતાઓએ પ્રદર્શન કર્યુ
આ ઘટના વિરૂદ્ધ કોંગ્રેસના કેટલાક નેતા એરપોર્ટ પર જ ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી હતી.
મહત્વપૂર્ણ છે કે જે સમયે પવન ખેડાને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા, ત્યારે તેમની સાથે રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ સિવાય કેટલાક નેતા હાજર હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે મોદી સરકાર અમારા રાષ્ટ્રીય અધિવેશનને રોકવા માંગે છે. અમે ડરવાના નથી, દેશવાસીઓ માટે સંઘર્ષ કરતા રહીશું.
પીએમ મોદી પર કરી હતી આપત્તિજનક ટિપ્પણી
મહત્વપૂર્ણ છે કે પવન ખેડાએ 17 ફેબ્રુઆરીએ પીએમ મોદીના પિતા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. પવન ખેડાએ કહ્યુ હતુ કે હિંડનબર્ગ-અદાણી મુદ્દા પર જેપીસીની રચના કરવામાં નરેન્દ્ર ગૌતમદાસ મોદીને સમસ્યા શું છે. પછી તેમમે કહ્યુ કે માફ કરો..નરેન્દ્ર દામોદરદાસ મોદી..પવન ખેડાએ ટ્વીટ કરીને કહ્યુ કે તે ભ્રમિત થઇ ગયા હતા પરંતુ સાથે જ કહ્યુ કે નામ દામોદરદાસ છે પરંતુ કર્મ ગૌતમદાસના છે. આ ટિપ્પણીને લઇને પવન ખેડા વિરૂદ્દ વારાણસી અને લખનઉંમાં કેસ દાખલ થઇ ચુક્યો છે.
Advertisement