શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત થઇ ગઇ છે. નોબેલ સમિતીએ બેલારૂસના માનવ અધિકાર વકીલ એલેસ બિયાલિયાત્સ્કી, રશિયન માનવ અધિકાર સંગઠન મેમોરિયલ અને યૂક્રેનના માનવ અધઇકાર સંગઠન સેન્ટર ફૉર સિવિલ લિબર્ટીઝને 2022ના Nobel Peace Prizeથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
Nobel Peace Prize એવોર્ડ વિજેતા પોતાના દેશમાં નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે કેટલાક વર્ષઓ સુધી સત્તાની ટિકા કરવા અને નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવાના અધિકારને ભાર આપ્યો છે.
1. Ales Bialiatski
1980ના દાયકાના મધ્યમાં બેલારૂસમાં ઉભરેલા લોકતંત્ર આંદોલનની શરૂઆત કરનારામાંથી એક હતા, તેમણે પોતાનું જીવન પોતાના દેશમાં લોકતંત્ર અને શાંતિપૂર્ણ વિકાસને ભાર આપવા માટે સમર્પિત કરી દીધુ, તેમણે 1996માં વસંત સંગઠનની સ્થાપના કરી હતી. Viasna (વસંત) એક માનવ અધિકાર સંગઠનના રૂપમાં વિકસિત થયુ, જેને રાજકીય કેદીઓ પર થતા અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો.
આ પણ વાંચો: ફ્રેન્ચ લેખિકાને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર, 2019માં બુકર માટે થયા હતા નોમિનેટ
2. Memorial
1987માં માનવ અધિકાર સંગઠન Memorial પૂર્વ સોવિયત સંઘમાં માનવ અધિકાર કાર્યકર્તાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યુ હતુ, જેનો ઉદ્દેશ્ય આ સુનિશ્ચિત કરવાનો હતો કે કોમ્યુનિસ્ટ શાસનના ઉત્પીડનના શિકાર લોકોને ક્યારેય ભુલાવી નહી શકાય. Chechen યુદ્ધ દરમિયાન Memorialએ રશિયા અને રશિયન સમર્થક દળો દ્વારા લોકો પર કરવામાં આવેલા અત્યાચાર અને યુદ્ધ અપરાધો વિશે જાણકારી આખી દુનિયા સુધી પહોચાડી હતી.
Advertisement