ટોક્યો: શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોચી ગયા છે. અહી પહોચ્યા બાદ તેમણે પોતાના જાપાની સમકક્ષ ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી અને કહ્યુ કે પૂર્વ વડાપ્રધાન શિંજો આબેના નેતૃત્વમાં બન્ને દેશના સબંધ નવી ઉંચાઇ પર પહોચ્યા અને કેટલાક વિસ્તારમાં તેમનો વિસ્તાર થયો. મોદીએ આશા વ્યક્ત કરી કે કિશિદાના નેતૃત્વમાં બન્ને દેશના સબંધ ઉંડા થશે અને નવા મુકામ પર પહોચશે. શિંજો આબેને શ્રદ્ધાંજલિ
Advertisement
Advertisement
વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યુ
વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ કે મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાર્તા કરી છે, જેમાં વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાન શિંજો આબેના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારત-જાપાનના સબંધને મજબૂત કરવાની સાથે સાથે એક મુક્ત, ખુલ્લા અને સમાવેશી હિંદ-પ્રશાંત ક્ષેત્રના દ્રષ્ટિકોણની અવધારણામાં પૂર્વ વડાપ્રધાન આબેની ભૂમિકાને રેખાંકિત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સબંધોને વધુ મજબૂત બનાવવાના વિચારોનું આદાન-પ્રદાન થયુ હતુ.
100થી વધારે દેશના નેતા લેશે અંતિમ સંસ્કારમાં ભાગ
વડાપ્રધાન મોદી 100થી વધારે દેશના તે નેતામાં સામેલ છે, જે આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે જાપાન પહોચ્યા છે. આ નેતાઓમાં અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની એલબેનીસ અને વિયેતનામના રાષ્ટ્રપતિ સામેલ છે. આશરે 20 દેશના રાષ્ટ્ર અધ્યક્ષ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે જાપાન પહોચી ગયા છે. આ નેતાઓની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
જુલાઇમાં શિંજો આબેની થઇ હતી હત્યા
8 જુલાઇએ જાપાનના નારા શહેરમાં શિંજો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, આ દરમિયાન હુમલાખોરે તેની પર ગોળી ચલાવી હતી, જે સીધા છાતીમાં જઇને લાગી હતી.
ભારતે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો
શિંજો આબેના મોતના શોકમાં ભારત સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. આબેને શ્રદ્ધાંજલિ આપતા મોદીએ કહ્યુ હતુ કે આબેની સાથે તેમનો સબંધ ઘણો જૂનો હતો અને તે ગુજરાતના મુખ્યમંત્રીના પોતાના કાર્યકાળના સમયથી તેમણે ઓળખતા હતા. મોદીએ જણાવ્યુ કે જાપાનના પ્રવાસે તે આબેને મળ્યા હતા પરંતુ તેમણે નહતી ખબર કે આ તેમની અંતિમ મુલાકાત હશે.
Advertisement