ગુજરાત એક્સક્લૂઝિવ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે (RSS Chief Mohan Bhagwat) હાલમાં 5 પ્રમુખ મુસ્લિમો સાથે એક બંધ રૂમમાં બેઠક કરી હતી. તેમાંથી દિલ્હીના પૂર્વ લેફ્ટિન્ટ ગવર્નર નજીબ જંગ, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી, રાષ્ટ્રીય લોકદળના ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વીસી ઝમીરુદ્દીન શાહ અને ઉદ્યોગપતિ-ફિલેંથ્રોપિસ્ટ સઈદ શેરવાની ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement
આરએસએસ તરફથી મોહન ભાગવત સાથે સાહ સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલ પણ હાજર હતા. આ બેઠક પછી શાબિદ સિદ્દીકીએ એક ઈન્ટરવ્યુંમાં મોહન ભાગવતને મળવા પાછળનો શું હેતુ હતો તે અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે.
“વર્તમાનમાં સાંપ્રદાયિક નફરતનો સ્તર ખુબ જ વધારે”
સિદ્દીકીએ કહ્યું કે આ સમૂહ અસલમાં એક વર્ષ સુધી શિક્ષાના ક્ષેત્રમાં કામ કરનારા સંગઠન “એલાયન્સ ફોર એજ્યુકેશન એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટ ઓફ અંડર પ્રિવલેજ્ડ” હેઠળ કામ કરીને સાથે આવી છે.
સિદ્દીકી જણાવ્યું કે, “અમે શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે સાથે આવ્યા છીએ. અમે પહેલા પણ અનેક યોજનાઓમાં સાથે કામ કર્યું છે. પરંતુ એક સમય પર અમે અનુભવ્યું કે માત્ર શિક્ષા જ એકમાત્ર પૂરતી નથી. અમે દેશમાં ફેલાયેલી સાંપ્રદાયિક નફરતને લઈને ખુબ જ ચિંતિત હતા અને અમે અનુભવ્યું કે અમે આ અંગે કંઈક કરવું જોઈએ.”
તેમને જણાવ્યું કે આનો અનુભવ નુપૂર શર્મા વિવાદ દરમિયાન થયો. ત્યારે અમે મોહન ભાગવતને મળવાનો સમય માંગ્યો. પરંતુ અમને એક મહિના પછીનો સમય આપવામાં આવ્યો અને બેઠક ઓગસ્ટના અંતમાં થઈ.
જ્યારે સિદ્દીકીને પૂછવામાં આવ્યું કે બેઠક માટે આરએસએસ ચીફ જ કેમ? તો તેમને કહ્યું, “હું જાણતો હતો કે આ પ્રશ્ન જરૂર ઉઠશે. કેમ નરેન્દ્ર મોદી નહીં? કેમ મોહન ભાગવત? સમજો કે આ મુદ્દો મુસ્લિમ અને સરકાર વચ્ચેનો નથી. આનો ઉકેલ સામુદાયિક સ્તર પર કરવું પડશે. આપણે માનવું પડશે કે મોહન ભાગવત એક એવા સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે, જેનો હિન્દુઓની એક મોટી સંખ્યામાં પ્રભાવ છે. તેથી અમે તેમનો સંપર્ક કર્યો.”
“અમે દુશ્મન નથી પરંતુ ઘણી બધી ગેરસમજણો થઈ ગઈ છે”
સિદ્દીકીએ જણાવ્યું કે આ પ્રથમ વખત નથી જ્યારે તેઓ મોહન ભાગવતને મળ્યા હોય, સાંસદના રૂપમાં તેઓ 2007માં પણ તેમને ભાગવત સાથે મુલાકાત કરી, પછી 2016માં એક વધુ મુલાકાત થઈ હતી.
સિદ્દીકીએ કહ્યું, “જૂઓ અમે દુશ્મન નથી.”
હિન્દુ અને મુસ્લિમ દુશ્મન નથી. આપણે દશકાઓથી સાથે રહેતા આવ્યા છીએ. આપણે તે સમજવું પડશે. પરંતુ તેમને માન્યું કે બંને પક્ષો વચ્ચે અનેક ગેરસમજણો છે, જેને ઠિક કરવી જરૂરી છે.
બેઠક દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, “મુસ્લિમો અને ઇસ્લામ ભારતના અભિન્ન અંગ છે, પરંતુ તેમને હિન્દુઓને કાફર કહેવાનું બંધ કરવું પડશે.” તેના જવાબમાં એક સભ્યએ કહ્યું, “કાફિર શબ્દનો ઉપયોગ કેટલીક વિશેષ પૃષ્ઠભૂમિમાં થયો હતો અને તેનો અર્થ આજના હિન્દૂ નથી.”
બેઠક દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ, નુપુર શર્મા વિવાદ, મદરસા અને જનસંખ્યા સાથે જોડાયેલા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
આ વાતચીતની શરૂઆત છે
સિદ્દીકીએ કહ્યું કે, આ માત્ર વાતચીતની શરૂઆત છે. “અમે બીજા હિન્દુ નેતાઓ અને બીજા ધર્મના નેતાઓ સાથે પણ વાતચીત કરીશું.” અમે મુસ્લિમ સમુદાય સાથે પણ વાત-ચીત કરીશું.
આરએસએસ પ્રમુખ સંઘે પરિવારના ચાર સભ્યોને મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા માટે પણ નિયુક્ત કર્યા છે.
22 સપ્ટેમ્બરે ભાગવતે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ઉમર અહેમદ ઈલ્યાસી સાથે પણ મુલાકાત કરી હતી. પાછળથી તેમને દિલ્હીના આઝાદ માર્કેટમાં એક મદરસાની મુલાકાત પણ લીધી હતી.
આ બધુ ત્યારે થયું છે જ્યારે બીજેપી શાસિત ઉત્તર પ્રદેશ સરકારમાં મદરસાઓનો એક સર્વે કરવામાં આવી રહ્યો છે અને અસમ સરકાર મદરસાઓને તોડી રહી છે.
Advertisement