દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્વિટર પર એક પત્ર શેર કર્યો જેમાં તેમણે પીએમ મોદીને ભારતીય ચલણી નોટોમાં હિન્દુ દેવતાઓ ગણેશ-લક્ષ્મીની તસવીર લગાવવાની અપીલ કરી છે.
Advertisement
Advertisement
કેજરીવાલે આ પત્રમાં લખ્યું છે કે, “દેશના 130 કરોડ લોકો ઈચ્છે છે કે ભારતીય ચલણની એક તરફ ગાંધીજી અને બીજી બાજુ શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ. આજે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની ગણતરી વિકાસશીલ અને ગરીબ દેશોમાં થાય છે. આજે પણ આપણા દેશમાં ઘણા ગરીબો છે. શા માટે?
એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે જેથી આપણા પ્રયત્નો ફળીભૂત થાય. યોગ્ય નીતિ, સખત પરિશ્રમ અને ભગવાનના આશીર્વાદ તેમના સંગમથી જ દેશની પ્રગતિ થશે.
અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમની માંગને મહત્વ આપતા તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા પોતાની નોટોમાં ગણેશજીની તસવીર લગાવી શકે છે તો ભારત કેમ નહીં.
ઇન્ડોનેશિયન નોટમાં હિંદુ દેવતાનું ચિત્ર શા માટે?
ઈન્ડોનેશિયાએ આ નોટ વર્ષ 1998માં એક ખાસ થીમ હેઠળ જારી કરી હતી. અને હવે આ નોટ ચલણમાં નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટની તસવીરને ધ્યાનથી જોશો તો એક તરફ હિન્દુ દેવતા ગણેશ અને એક વ્યક્તિની તસવીર જોવા મળે છે.
બીજી તરફ કેટલાક બાળકો અભ્યાસ કરતા હોવાની તસવીર જોવા મળી રહી છે. ઈન્ડોનેશિયામાં ગણેશની તસવીર અહીંની સંસ્કૃતિમાં વિવિધતા દર્શાવે છે.
વર્ષ 1998માં જારી કરવામાં આવેલી આ ચલણી નોટની થીમ શિક્ષણ હતી. ઇન્ડોનેશિયામાં ગણેશજીને કળા, બુદ્ધિ અને શિક્ષણના દેવ માનવામાં આવે છે. અહીંની ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ગણેશજીની છબીનો ઉપયોગ કરવામાં આવે છે.
मैंने प्रधानमंत्री जी को पत्र लिखकर 130 करोड़ भारतवासियों की ओर से निवेदन किया है कि भारतीय करेंसी पर महात्मा गांधी जी के साथ-साथ लक्ष्मी गणेश जी की तस्वीर भी लगाई जाए। pic.twitter.com/OFQPIbNhfu
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 28, 2022
આ નોટમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય નાયક ‘કી હજાર દેવંતરા’ની તસવીર પણ છે. તેમણે એ જમાનામાં ઈન્ડોનેશિયનોના શિક્ષણના અધિકાર માટે લડ્યા જ્યારે આ દેશ ડેનમાર્કની વસાહત હતો. તે સમયે માત્ર સમૃદ્ધ અને ડચ સમુદાયના બાળકોને જ શાળામાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.”
જો કે, ઇન્ડોનેશિયામાં હજુ પણ ચલણમાં એક એવી ચલણી નોટ છે જેમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર સ્થિત હિંદુ મંદિરની તસવીર છે. ‘પચાસ હજાર રૂપિયાની નોટમાં બાલીના મંદિરનું ચિત્ર છે. બાલીમાં હિન્દુ સમુદાયની બહુમતી છે.
જોકે, એવું ન કહી શકાય કે નોટો પર માત્ર હિંદુ ધર્મના પ્રતીકો છે કારણ કે અન્ય નોટોમાં વિવિધ ધર્મો અને સમુદાયોના પ્રતીકોને સ્થાન આપવામાં આવ્યું છે.
Advertisement