નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ યૂયૂ લલિતે પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. જસ્ટિસ ચંદ્રચૂડ દેશના 50માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિત 8 નવેમ્બરે સેવા નિવૃત થઇ રહ્યા છે.
Advertisement
Advertisement
આ એક રીતની પરંપરા છે, જેના અનુસાર કેન્દ્ર તરફથી ઔપચારિક આગ્રહ મળવા પર ચીફ જસ્ટિસ પોતાના રિટાયરમેન્ટથી એક મહિના પહેલા એક બંધ કવરમાં પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરે છે. જોકે, ચીફ જસ્ટિસ પોતાના પછી સૌથી સીનિયર જજના નામની ભલામણ કરે છે, જે બાદ સરકાર તેની નિયુક્તી કરે છે.
ચીફ જસ્ટિસ યૂયૂ લલિતનો 74 દિવસનો કાર્યકાળ પુરો થવા જઇ રહ્યો છે. તે આઠ નવેમ્બરે રિટાયર થઇ રહ્યા છે. 9 નવેમ્બરે જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ 2 વર્ષ માટે દેશના નવા ચીફ જસ્ટિસ બનશે. વર્તમાન નિયમ અનુસાર, જસ્ટિસ ચંદ્રચૂડ 11 નવેમ્બરે પોતાનો 65મો જન્મદિવસના એક દિવસ પહેલા 10 નવેમ્બર 2024માં રિટાયર થઇ જશે.
આ પણ વાંચો; ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને અલગ અલગ નામ ફાળવ્યા
સુપ્રીમ કોર્ટમાં શપથગ્રહણ દરમિયાન જ સ્પષ્ટ થઇ જાય છે કે કોણ ચીફ જસ્ટિસ બનશે અને તેમનો કાર્યકાળ કેટલો હશે. વર્તમાન રેકોર્ડ અનુસાર, દેશને 2027માં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ મળશે. જસ્ટિસ બીવી નાગરત્ના માત્ર 27 દિવસ માટે દેશના સર્વોચ્ચ ન્યાયાલયનું નેતૃત્વ કરશે, તેમના પિતા જસ્ટિસ ઇએસ વેંકટરામૈયા પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે.
Advertisement