શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળ આતંકી સંગઠન અને આતંકીઓ માટે કાળ બન્યા છે. પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં અસ્થિરતા પેદા કરવાના પ્રયાસ કરતુ રહે છે અને સરહદ પારથી ઘૂષણખોરી કરે છે. ભારતીય સેના સાવચેતીથી પાકિસ્તાનના નાપાક ઇરાદાને નિષ્ફળ બનાવી દે છે અને આતંકીઓને નરકનો રસ્તો બતાવે છે. રાજ્યના ડીજીપી દિલબાગ સિંહ અને કાશ્મીર ઝોનના એડીજીપી વિજય કુમારે શ્રીનગરમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને વર્ષ 2022ની સ્થિતિ રજૂ કરી હતી.
Advertisement
Advertisement
વિજય કુમારે જણાવ્યુ કે આ વર્ષે એટલે કે 2022માં ઘાટીમાં 93 સફળ ઓપરેશન થયા જેમાં 42 વિદેશી આતંકવાદીઓ સહિત કુલ 172 આતંકવાદી માર્યા ગયા છે. એડીજીપીએ જણાવ્યુ કે આ વર્ષે આતંકવાદીઓની નવી ભરતીમાં 37 ટકાની કમી આવી છે. સૌથી વધુ (74) આતંકી લશ્કરમાં સામેલ થયા છે. આ વર્ષે 65 આતંકવાદીઓની ભરતી થઇ જેમાંથી 58 (89%)ને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. આતંકવાદી અથડામણમાં માર્યા ગયા છે. 17 આતંકવાદીની ધરપકડ કરાઇ છે અને 18 આતંકવાદી હજુ પણ સક્રિય છે. એડીજીપીએ જણાવ્યુ કે નવા ભરતી થયેલા આતંકવાદીઓના ઘાટીમાં સક્રિય થયા પહેલા જ તેમણે ન્યૂટ્રલાઇજ કરી દેવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં આ વર્ષે મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. વિજય કુમારે જણાવ્યુ કે 360 અથડામણ અને મૉડ્યૂલનો પર્દાફાશ દરમિયાન AK સીરિઝની 121 રાયફલ, 08 એમ-4 કાર્બાઇન અને 231 પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આઇઇડી, સ્ટિકી બોમ અને ગ્રેનેડના સમય પર જપ્તીથી મોટી આતંકી ઘટનાઓ ટળી ગઇ છે. ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ કે 4 વર્ષમાં 2022 ઘણુ સારૂ રહ્યુ છે. સૌથી ઓછી સક્રિય આતંકવાદીઓની સંખ્યા આ વર્ષે છે. જૈશ અને લશ્કરની સાથે ટીઆરએફના આતંકી ઘાટીમાં ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરે છે, તેમણે પાકિસ્તાન સપોર્ટ કરે છે.
આ પણ વાંચો: જયશંકરનો પાકિસ્તાનને જવાબ, પહેલા આતંકવાદ ખતમ કરો પછી વાત થશે
ડીજીપીએ કહ્યુ કે સુરક્ષાદળો સાથે હવે જમ્મુ શહેર પણ આતંકવાદીઓના નિશાના પર છે. આ વર્ષે ઘણી વધુ સીઆરપીએફ અને પોલીસના જવાન ઘાયલ થયા છે. પોલીસની કાર્યવાહી આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારા ઓવર ગ્રાઉન્ડ વર્કસ પર ચાલુ છે. આતંકીઓનો સાથ આપવા અને તેમને લૉજિસ્ટિક આપનારી 50 ગાડીઓને જપ્ત કરવામાં આવી છે. કુલ 649 ઓવર ગ્રાઉન્ડ વર્કસ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપીએ કહ્યુ કે હવે 2023માં ‘મિશન ઝીરો ટેરર’ ચલાવીશુ અને કેન્દ્ર શાસિત પ્રદેશને આતંકવાદથી પુરી રીતે મુક્ત કરાવીને જ શ્વાસ લઇશું.
Advertisement