નવી દિલ્હી: આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણી વખત શરમજનક સ્થિતિમાં મુકાયુ છે. જોકે, તેમ છતા પણ પાકિસ્તાન પોતાની છબી સુધારવામાં નિષ્ફળ રહ્યું છે. આતંકવાદને લઈને ભારતે પણ ઘણી ટીકા કરી ચુક્યુ છે. આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે.
Advertisement
Advertisement
પાકિસ્તાન પર પ્રહાર કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ભારતને વાતચીતના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય નહીં. વિદેશ મંત્રી એસ જયશંકર સાયપ્રસની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, તેઓ સાયપ્રસના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નિકોસ ક્રિસ્ટોડોલિડ્સને મળ્યા હતા.
આતંકવાદને લઇને પાકિસ્તાનને બે ટૂક
સાયપ્રસની મુલાકાત દરમિયાન ભારતીય પ્રવાસીઓ સાથેની વાતચીત દરમિયાન જયશંકરે કહ્યું હતું કે જે લોકો આતંકવાદને હથિયાર બનાવવા માગે છે તે ગેરસમજમાં ના રહે. વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ સામે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે આતંકવાદને સાધન બનાવીને ભારતને વાટાઘાટના ટેબલ પર બેસાડી ના શકાય.
સાયપ્રસમાં ભારતીય ડાયસ્પોરા સાથેની વાતચીત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે, આતંકવાદ ભારતને વાટાઘાટોના ટેબલ પર લાવી શકશે નહીં. તેમણે કહ્યું કે અમે અમારા પાડોશી દેશોની સાથે તમામ દેશો સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ. પરંતુ અમે આતંકવાદને સમર્થન કરતા દેશોની સાથે ક્યારેય ઊભા રહીશું નહીં.
સાયપ્રસની મુલાકાતે વિદેશ મંત્રી
એસ જયશંકરે વધુમાં કહ્યું કે તમે છેલ્લા સાત-આઠ વર્ષમાં જોયું છે. જ્યાં પણ ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે. ભારત સરકાર મજબૂતી સાથે ઉભી રહી છે. સાઇપ્રસ પ્રવાસમાં વિદેશ મંત્રાલયમાં તેમણે પોતાના 40 વર્ષના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે વિદેશ મંત્રી એસ જયશંકર 29 ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી સાઇપ્રસ અને ઓસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાતે છે.
Advertisement