મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મુંબઇમાં બે વંદે ભારત ટ્રેનને (Vande Bharat Train) લીલી ઝંડી બતાવીને દેશને સમર્પિત કરી હતી. પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.મહત્વપૂર્ણ છે કે પ્રથમ વંદે ભારત ટ્રેન મુંબઇ અને સોલાપુર વચ્ચે દોડશે અને બીજી ટ્રેન મુંબઇથી શિરડી વચ્ચે દોડશે.
Advertisement
Advertisement
પ્રવાસન અને તીર્થ યાત્રાને ભાર મળશે
આ દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ, ‘આજે પ્રથમ વખત એક સાથે 2 વંદે ભારત ટ્રેનની શરૂઆત થઇ છે. આ રાજ્યમાં પ્રવાસન અને તીર્થ યાત્રાને ભાર મળશે.’
મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટીને ભાર આપવામાં આવશે
પીએમ મોદીએ કહ્યુ કે આજનો દિવસ ભારતીય રેલ અને વિશેષ રીતે મુંબઇ અને મહારાષ્ટ્રની કનેક્ટિવિટી માટે ઘણો મોટો છે. આજે એક સાથે 2 વંદે ભારત ટ્રેન શરૂ થઇ છે, જેનાથી તમામને સુવિધા મળશે અને આ મહારાષ્ટ્રમાં પ્રવાસન અને તીર્થ યાત્રાને ભાર આપનારી છે.
Happy to be in Mumbai. Inaugurating projects aimed at boosting connectivity in Maharashtra. https://t.co/03hmIIg51P
— Narendra Modi (@narendramodi) February 10, 2023
દેશના 108 જિલ્લા વંદે ભારત સાથે જોડાયા
પીએમ મોદીએ કહ્યુ કે વંદે ભારત ટ્રેન આજના આધુનિક થતા ભારતની શાનદાર તસવીર છે. આ ભારતની સ્પીડ અને સ્કેલનો પ્રતિબિંબ છે. તમે જોઇ રહ્યા છો કે દેશમાં કેટલી ઝડપથી વંદે ભારત લૉન્ચ થઇ રહી છે. અત્યાર સુધી 10 આવી ટ્રેન લૉન્ચ થઇ ગઇ છે. આજે દેશના 17 રાજ્યના 108 જિલ્લા વંદે ભારત સાથે જોડાઇ ચુક્યા છે.
ઇંફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર
પીએમ મોદીએ કહ્યુ, ‘ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 10 લાખ કરોડ રૂપિયા માત્ર ઇંફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રાખ્યા છે. આ 9 વર્ષની તુલનામાં 5 ગણા વધારે છે જેમાં રેલ્વેનો ભાગ 2.5 લાખ કરોડ છે. મને વિશ્વાસ છે કે ડબલ એન્જિનની સરકારના ડબલ પ્રયાસોથી મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી અને ઝડપથી આધુનિક બનશે.
Advertisement