નવી દિલ્હી: આઝાદી પછી દેશમાં પ્રથમ વખત વાયુ સેના માટે એક નવી ઓપરેશનલ બ્રાંચ બનાવવામાં આવી રહી છે. સરકારે તેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ જાણકારી વાયુ સેના પ્રમુખ વીઆર ચૌધરીએ આપી હતી. આ બ્રાંચના બનવાથી સરકારને ફ્લાઇંગ ટ્રેનિંગના ખર્ચમાં કાપ સાથે 3,400 કરોડ રૂપિયાથી વધારેની બચત થશે.
Advertisement
Advertisement
ચંદીગઢ એરબેસ પર ભારતીય વાયુસેનાના 90માં સ્થાપના દિવસના પ્રસંગ પર સેલિબ્રેશન કરવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન એર ચીફ માર્શલ સામે નવુ યૂનિફોર્મ પણ લૉન્ચ કરવામાં આવ્યુ છે.
નવી બ્રાંચ સાથે મળેલી કૉમ્બેટ યૂનિફોર્મ પણ
એર ચીફ માર્શલે કહ્યુ કે વૈપન સિસ્ટમ બ્રાંચ માર કરનારી મિસાઇલો, હવામાં માર કરનારી મિસાઇલ, રિમોટ પાયલોટ એરક્રાફ્ટ અને ટ્વિન અને મલ્ટી ક્રૂ એર ક્રાફ્ટનું સંચાલન કરશે. વીઆર ચૌધરીએ એમ પણ કહ્યુ કે અમે ભારતીય વાયુસેનાની 90મી વર્ષગાંઠ પર કર્મીઓ માટે કૉમ્બેટ યૂનિફોર્મની એક નવી પેટર્ન લૉન્ચ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભારતીય નૌસેનાએ દરિયામાં પકડી 1,200 કરોડ રૂપિયાની હેરોઇન, 6 ઇરાની નાગરિક ઝડપાયા
નવા યૂનિફોર્મની ખાસિયત
ભારતીય વાયુસેનાની નવી યૂનિફોર્મ સેનાની વર્ધીની જેમ જ છે, તેની ડિઝિટલ પેટર્ન તમામ વિસ્તારના અનુકૂળ છે. જે સૈનિકોને રણ, પહાડી ભૂમિ, જંગલ જેવી જગ્યાએ મૂવ કરવામાં કમ્ફર્ટેબલ રહેશે. આ યૂનિફોર્મને નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)એ ડિઝાઇન કર્યુ છે.
IAFના એક અધિકારી અનુસાર, “IAFના નવા યૂનિફોર્મનના રંગ અને શેડ્સ થોડા અલગ છે, જે વાયુસેનાના કામ કરવાના માહોલ માટે વધુ અનુકૂળ છે. યૂનિફોર્મને સામાન્ય કપડા અને ડિઝાઇનથી બનાવ્યુ છે, જે સૈનિકો માટે આરામદાયક છે.
ડિસેમ્બરથી શરૂ થશે અગ્નિવીર વાયુની ટ્રેનિંગ
આ દરમિયાન એર ચીફ માર્શલે એમ પણ કહ્યુ કે IAF ડિસેમ્બર 2022માં ઇનીશિયલ ટ્રેનિંગ માટે 3000 અગ્નિવીર વાયુના સામેલ કરશે. સાથે જ આવતા વર્ષથી મહિલા અગ્નિવીરોને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
Advertisement