વિશાલ મિસ્ત્રી રાજપીપલા: નર્મદા જિલ્લા સહિત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની કામગીરી કરી રહેલા, વાસ્મો – (પાણી પુરવઠા) વિભાગના કર્મચારીઓ છેલ્લા એક માસથી તેમની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.વાસ્મોના કર્મચારીઓ વાસ્મોની સ્થાપના સમયે વર્ષ 2002 થી જ તેમને ખરેખર મળવા પાત્ર હક્કો લાભ આપવામાં તેમનો વિભાગ તૈયાર ન હોવાથી ન છૂટકે આજે 20 વર્ષે નર્મદા જિલ્લા સહિત રાજ્યના 350 જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે.
Advertisement
Advertisement
કર્મચારીઓના હિત માટે વાસ્મો વિભાગ દ્વારા બનાવેલ “વાસ્મો સર્વિસ મેન્યુઅલ-2002” નો અમલ કરવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓને છેલ્લા ત્રણથી વર્ષોથી પગાર વધારો સ્થગિત કર્યો હોવાનો મુદ્દો કર્મચારીઓના વિરોધનું મુખ્ય કારણ બન્યું છે.આ બાબતે કર્મચારીઓ દ્વારા જિલ્લાના સ્થાનિક હોદ્દેદારોથી લઈ ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર ખાતરી આપી કે માંગણી સ્વીકારવામાં આવેલ નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?
પોતાની વિવિધ માંગોને લઈને વાસ્મોના કર્મચારીઓ આગામી 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતીથી લડત આગળ ધપાવવા અને વધુ આક્રમક પગલાંઓ જેવા કે કચેરીનો ઘેરાવ કરવો, ધરણા કરવા જેવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.ગુજરાત સરકારના આયોજન મુજબ “નલ સે જલ” ની કામગીરી વાસ્મોના કર્મીઓ દ્વારા 98% પૂર્ણ કરવામાં આવેલ છે, પરંતુ હાલ વાસ્મોનાં કર્મચારીઓ નજીવી માંગ માટે હડતાલ પર ગયેલ હોય શું મુખ્યમંત્રી એમના કાર્યકાળ દરમિયાન ગુજરાતને 100% નળ જોડાણ ધરાવતા રાજયની ઘોષણાથી દૂર રહી જશે?
આ પણ વાંચો: બ્રિજના કામમાં DELF કન્સલટન્સીને લિમ્કા બૂકમાં સ્થાન મળવુ જોઇએ!, ભ્રષ્ટાચારની નીતિ સામે પ્રશ્નાર્થ
Advertisement