શ્રીનગર: કાશ્મીરમાં ફરી એક વખત આતંકીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. શોપિયાંમાં ગ્રેનેડ હુમલામાં યૂપીના બે મજૂર ભાઇઓના મોત થયા છે. આતંકવાદીઓએ શોપિયાંના હરમેનમાં ગ્રેનેડ ફેક્યો હતો જેમાં ઉત્તર પ્રદેશના કન્નૌજના રહેવાસી 2 મજૂર મનીષ કુમાર અને રામ સાગર ઘાયલ થયા હતા, તેમણે હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર સોમવારની રાત્રે હુમલાખોરોએ મજૂરોને ત્યારે નિશાન બનાવ્યા હતા જ્યારે તે ઘરમાં ઉંઘી રહ્યા હતા.
Advertisement
Advertisement
જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યુ કે વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે. આતંકવાદી સંગઠન ટીઆરએફ, જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (એલઇટી)નો એક મોરચો છે, આ હુમલાની જવાબદારી લીધી છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ કેટલાક હુમલાની જવાબદારી આ સંગઠને લીધી હતી.
આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાઇબ્રિડ આતંકી ઇમરાન બશીર ગની જેને શોપિયાંના હરમનમાં ગ્રેનેડ ફેક્યો હતો, તેને શોપિયાં પોલીસે ધરપકડ કરી છે. આ મામલે આગળની તપાસ અને રેડ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વડોદરા: કપૂરાઇ ચોકડી પાસે લક્ઝરી-ટ્રેલર વચ્ચે ટક્કર, 6 લોકોના મોત, 17 ઘાયલ
મહત્વપૂર્ણ છે કે કાશ્મીરમાં બે દિવસ પહેલા જ કાશ્મીરી પંડિતની હત્યા થઇ હતી અને પછી મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગત કેટલાક મહિનામાં સતત પ્રવાસી નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને સીલ કરી લીધો છે અને હુમલાખોરની તપાસ માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે.
Advertisement