નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 બેઠકમાં ભાગ લેવા માટે આવેલા વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે બેઠકને સંબોધન પણ કર્યું હતું. વડા પ્રધાને કહ્યું હું G20 વિદેશમંત્રીઓની બેઠક માટે ભારતમાં આપનું સ્વાગત કરું છું. મને આશા છે કે આજની તમારી બેઠક ખાસ તેમજ સાધારણ ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે સૌ સંગઠિત થયા હોવાની લાગણીને વ્યક્ત કરશે.
Advertisement
Advertisement
બેઠકને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે અત્યારે બહુપક્ષવાદ સંકટમાં છે તે આપણે સૌએ સ્વીકારવું જોઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી બનાવવામાં આવેલી વૈશ્વિક શાસનનીવાસ્તુકલા બે કાર્ય પૂરા કરવા માટે હતી. પહેલું – પ્રતિસ્પર્ધી હિતોને સંતુલિત કરીને ભવિષ્યના યુદ્ધોને અટકાવવા માટેનું, બીજું – સામાન્ય હિતના મુદ્દે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનું. આર્થિક સંકટ, જળવાયુ પરિવર્તન, મહામારી, આતંકવાદ અને યુદ્ધોના છેલ્લાં કેટલાંક વર્ષોના અનુભવથી એ સ્પષ્ટ છે કે વૈશ્વિક શાસન તેના બન્ને જનાદેશોમાં નિષ્ફળ રહ્યું છે.
વર્ષોની પ્રગતિ પછી આજે આપણે વિકાસ લક્ષ્યોથી વધુ પાછળ પડી જઈશું તેવું સતત જોખમ રહે છે. ઘણાં વિકાસશીલ દેશો પોતાના નાગરિકો માટે અન્ન અને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરતા અસ્થાયી દેવાંનો સામનો કરી રહ્યા છે. તેઓ ધનાઢ્ય દેશોને લીધે થતાં ગ્લોબલ વોર્મિંગથી પણ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. આ જ કારણ છે કે ભારતની G20 અધ્યક્ષતાએ ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. કોઈ પણ જૂથ પોતાના નિર્ણયોને લીધે સૌથી વધુ અસર પામેલા લોકોની વાત સાંભળ્યા વિના વૈશ્વિક નેતૃત્વનો દાવો કરી શકે નહીં. આ બેઠક ગાઢ વૈશ્વિક વિભાજનના સમયે થઈ રહી છે. વિદેશમંત્રીઓ તરીકે આપની ચર્ચા પર ભૂ-રાજકીય તણાવોથી પ્રભાવિત હશે તે સ્વાભાવિક છે.
વડા પ્રઘાન મોદીએ બેઠકને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે આ તણાવોનોકેવી રીતે ઉકેલ લાવી શકાય તે અંગે આપણે સૌએ આપણા મંતવ્યો રજૂ કરવા જોઈએ. જે હાલ નથી તેના વિશે આપણે વિચારવું જોઈએ નહીં. દુનિયા વિકાસ, આર્થિક સ્થિરતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, અન્ન અને સુરક્ષા, વિકાસ સામેના પડકારો માટે G20 પાસેથી અપેક્ષા છે. G20માં સર્વસંમતિ સાધવાની તેમજ નક્કર પરિણામો આપવાની આ સૌમાં ક્ષમતા છે.
Advertisement