નવી દિલ્હી: સંસદનું શીયાળુ સત્ર આજથી શરૂ થઇ ગયુ છે. આ સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલશે. સત્રમાં કુલ 17 કાર્ય દિવસ હશે. સંસદના શીયાળુ સત્ર માટે ભાજપના નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકારના એજન્ડામાં 16 નવા બિલ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીયાળુ સત્ર પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી.
Advertisement
Advertisement
મને આશા, તમામ રાજકીય પક્ષ ચર્ચાને આગળ વધારશે- પીએમ મોદી
મીડિયા સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મને આશા છે કે તમામ રાજકીય દળ ચર્ચાને આગળ વધારશે, તે પોતાના વિચારોથી નિર્ણયને નવી તાકાત આપશે, દિશાને સ્પષ્ટ રીતે ઉજાગર કરવામાં મદદ કરશે.
પીએમ મોદીએ જણાવ્યો શીયાળુ સત્રનો એજન્ડા
પીએમ મોદીએ કહ્યુ કે આ સત્રમાં દેશના વિકાસની નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતને આગળ વધારવા માટે જરૂરી નવી તકોને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય આ સત્રમાં કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
યુવા સાંસદોની ભાવનાને સમજવી પડશે- પીએમ મોદી
મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આપણે યુવા સાંસદોની ભાવનાને સમજવી પડશે. હું તમામ પાર્ટીના લીડર અને ફ્લોર લીડરને આગ્રહ કરવા માંગુ છુ કે ઉજ્જવળ ભવિષ્ય અને લોકતંત્રની ભાવી પેઢીને તૈયાર કરવા માટે આપણે વધુમાં વધુ તક યુવા સાંસદોને આપીયે.
ભારતને G-20ની યજમાની મળવી એક મોટી તક
સંસદ સત્ર પહેલા મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે જે રીતે ભારત પાસે અપેક્ષા વધી છે અને જે રીતે ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારવા જઇ રહી છે એવા સમયમાં G-20ની યજમાની ભારતને મળવી એક મોટી તક છે.
પીએમ મોદીએ કહ્યુ કે, શીયાળુ સત્રનો આજે પ્રથમ દિવસ છે, આ સત્ર મહત્વપૂર્ણ છે કારણ કે 15 ઓગસ્ટ પહેલા આપણે મળ્યા હતા, 15 ઓગસ્ટે આઝાદીનું અમૃત મહોત્સવ પૂરૂ થયુ અને આપણે અમૃત કાળમાં આગળ વધી રહ્યા છીએ.
Advertisement