નવી દિલ્હી: દિલ્હીની જામિયા મિલીયા યૂનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી BBCની ડૉક્યૂમેન્ટરીની સ્ક્રીનિંગની જાહેરાત કરીને માહોલ ખરાબ કરવા પર પોલીસે ત્રણ વિદ્યાર્થીની અટકાયત કરી છે. વિદ્યાર્થીઓની અટકાયત બાદ પ્રદર્શન કરી રહેલા 7 અન્ય વિદ્યાર્થીઓની પણ પોલીસે અટકાયત કરી છે. ચીફ પ્રૉક્ટરની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અનુસાર, ઘટનાને લઇને જામિયા યૂનિવર્સિટીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Advertisement
Advertisement
વિવાદ વચ્ચે જામિયા યૂનિવર્સિટીના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. જામિયાના વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે બીબીસીની ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન ડૉક્યૂમેન્ટરી બતાવશે પરંતુ યૂનિવર્સિટીએ તેમણે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, વિદ્યાર્થી ડૉક્યૂમેન્ટરી બતાવવા પર અડી ગયા હતા તે પછી યૂનિવર્સિટીએ વિદ્યાર્થીઓને નોટિસ આપી હતી.
જામિયા તરફથી જાહેર નોટિસ છતા બુધવાર સાંજે 6 વાગ્યે ગેટ નંબર-8 પર MCRC લૉનમાં બીબીસીની પ્રતિબંધિત અને વિવાદિત ડૉક્યૂમેન્ટરીનું આયોજન કરવામાં આવી રહ્યુ હતુ. જામિયા યૂનિવર્સિટીએ તેને લઇને પરવાનગી આપી નહતી.
તે બાદ જામિયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. લૉનમાં અને ગેટ પર બેઠક તથા સભાની પરવાનગી આપવામાં આવી નથી. બીજી તરફ આયોજકો વિરૂદ્ધ કડક કાર્યવાહીની વાત કહેવામાં આવી છે.
JNUમાં પણ થયો વિવાદ
જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં પણ ડૉક્યૂમેન્ટરીની સ્ક્રીનિંગ દરમિયાન વિવાદ થયો હતો. આ દરમિયાન વીજળી કાપી નાખવામાં આવી હતી અને ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે મોબાઇલ ફોન પર ડૉક્યૂમેન્ટરી જોતા સમયે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ABVPના વિદ્યાર્થીઓએ કર્યો હતો.
કેરળના રાજ્યપાલે ડૉક્યૂમેન્ટરીની રિલીઝના સમયને લઇને સવાલ ઉભા કર્યા
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેની રિલીઝને લઇને સવાલ ઉઠાવ્યા છે, તેમનું કહેવુ છે કે તેને આ સમયે રિલીઝ કેમ કરવામાં આવી, જ્યારે ભારત G-20 સમ્મેલનની અધ્યક્ષતા કરવા જઇ રહ્યુ છે.
આરિફ મોહમ્મદ ખાને કહ્યુ, “જ્યારે ભારતે G-20ની અધ્યક્ષતા સંભાળી છે ડૉક્યૂમેન્ટરી લાવવા માટે તે સમય કેમ પસંદ કરાયો? આ ડૉક્યૂમેન્ટરી તે સોર્સમાંથી લેવામાં આવી રહી છે જેને આપણી આઝાદીના સમયે કહ્યુ હતુ કે ભારત પોતાની સ્વતંત્રતાને સંરક્ષિત કરવામાં અત્યારે સક્ષમ નથી.”
બીજી તરફ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું કહેવુ છે કે એક ડૉક્યૂમેન્ટરી દેશની સંપ્રભુતાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે, તેમણે કહ્યુ કે તેની પર પ્રતિબંધ લગાવવો જરૂરી નથી, તેને નજરઅંદાજ પણ કરી શકાય છે.
આ પણ વાંચો: બીબીસી ડોક્યુમેન્ટરીને બ્લોક કરવા માટે સરકારે કયા ‘ઇમરજન્સી નિયમો’નો ઉપયોગ કર્યો?
2002ના રમખાણ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ પર આધારિત ડૉક્યૂમેન્ટરી પર સરકારે પ્રતિબંધ મુકતા સોશિયલ મીડિયા કંપનીઓને તેને હટાવવા કહ્યુ છે. વિપક્ષે આ પગલાની ટિકા કરી છે.
મોદી સરકારે ડૉક્યૂમેન્ટરી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનને પ્રોપગેન્ડા પીસ ગણાવ્યુ છે. ગુજરાત રમખાણની તપાસમાં તેમણે કોઇ પણ ખોટા કામથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે હત્યાઓ સાથે જોડાયેલી એક ઘટનામાં તેમણે છોડવા વિરૂદ્ધ અપીલ ફગાવી દીધી હતી.
2002માં ગોધરામાં તીર્થયાત્રીઓને લઇને જઇ રહેલી એક ટ્રેનના કોચમાં આગ લગાવવામાં આવી હતી જેમાં 59 લોકો માર્યા ગયા હતા. તે બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી અને 1 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આરોપ છે કે શરૂઆતમાં રમખાણ રોકવા માટે સરકારે યોગ્ય પગલા ભર્યા નહતા.
Advertisement