ચંદીગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 93માં એપિસોડને સંબોધિત કર્યુ હતુ. આ દરમિયાન પીએમ મોદીએ તાજેતરમાં નામીબિયાથી દેશમાં લાવવામાં આવેલા ચીત્તાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે ગત દિવસોમાં ચીત્તાએ અમારૂ ધ્યાન આકર્ષિત કર્યુ છે. ચીત્તાને દેશમાં પરત ફરવાથી દેશમાં ખુશીનો માહોલ છે.
Advertisement
Advertisement
મન કી બાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે ભારત પેરા-સ્પોર્ટ્સમાં નવી ઉંચાઇઓ પર પહોચી રહ્યુ છે, જેને અમે કેટલીક ટૂર્નામેન્ટમાં જોયુ છે. એવા કેટલાક લોકો છે જે વિકલાંગો વચ્ચે ફિટનેસ સંસ્કૃતિને ભાર આપવા, તેમના આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે જમીન પર કામ કરી રહ્યા છે.
મન કી બાતમાં કાર્યક્રમમાં પીએમ મોદી
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારતમાં વર્ષોથી એક મોટી તકલીફ આ હતી કે Sign Language માટે કોઇ સ્પષ્ટ હાવ ભાવ નહતા. 2015માં Indian Sign Language Research and Training Centerની સ્થાપના થઇ હતી. આ સંસ્થા અત્યાર સુધી 10 હજાર વર્ડ અનએ એક્સપ્રેસનની ડિક્શનરી તૈયાર કરી ચુક્યુ છે.
શહીદ ભગત સિંહના નામ પર હશે ચંદીગઢ એરપોર્ટનું નામ
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ કે મહાન સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપવાના રૂપમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે.
ચીત્તા માટે એક ટાસ્ક ફોર્સ બની
પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યુ કે દેશના ખુણે ખુણાથી લોકોએ ચીત્તાના પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. તમામે સવાલ કર્યો કે ચીત્તાને જોવાની તક ક્યારે મળશે, તેમણે કહ્યુ કે ચીત્તા માટે એક ટાસ્ક ફોર્સ બની છે, જે તેમની પર નજર રાખી રહી છે. જેવા આ માહોલ અનૂકુળ આવશએ તેમણે જોવાની તક મળશે. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં My Gov એપ પર ચીત્તાના નામના સૂચન માટે કહ્યુ છે.
Advertisement