નવી દિલ્હી: બિલકિસ બાનો કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ કેસમાં જે આરોપી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, તેમના પર પેરોલ દરમિયાન સાક્ષીઓને ધમકાવવાનો આરોપ હોવાનું સામે આવ્યું છે. તેટલું જ નહીં અનેકો પર પરેલો દરમિયાન જ યૌન હુમલાનો આરોપ પણ છે. જ્યારે સરકારનું કહેવું છે કે, તેમના સારા આચરણના કારણે તેમને રિહા કરવામાં આવ્યું છે. સજા પૂરી થયાના પહેલા જ ઓગસ્ટ મહિનામાં રિહા કરેલા 11માંથી ઓછામાં ઓછા 4 આરોપીઓ પર પેરોલ દરમિયાન સાક્ષીઓને ધમકાવવા અને હેરાન કરવાના આરોપ છે.
Advertisement
Advertisement
એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર તેમને આરોપીઓ વિરૂદ્ધ અનેક પોલીસ ફરિયાદ મેળવી છે. જે ગુજરાત સરકારના તે દાવાથી એકદમ ઉલટ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સારા આચરણના કારણે તેમને રિહા કરવામાં આવ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સરકાર પાસે આ વાતના કોઈ જ પુરાવા નથી કે તેમને (આરોપીઓએ) આ દરમિયાન કોઈ જ પણ ખોટું કામ કર્યું છે.
રિપોર્ટમાં સામે આવ્યું છે કે, વર્ષ 2017-21 વચ્ચે બિલકિસ બાનો કેસમાં ઓછામાં ઓછા કેસ સાક્ષીઓએ ફરિયાદ અને એફઆઈર નોંધવી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર અને બે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવેલી છે.
6 જૂલાઈ 2020માં બે આરોપી રાધેશ્યામ શાહ અને મિતશ ભટ્ટ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.
દાહોદના રાધિકાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની ધારા 354 (શીલ ભંગ કરવાના ઈરાદાથી હુમલો), 504 (ધમકી), (502) (2) (હત્યાની ધમકી) અને 114 (ઉશ્કેરણી કરવા) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ એફઆઈઆર સબરાબેન પટેલ અને બિલકિસ બાનો કેસમાં એક સાક્ષી પિંટૂ ભાઇએ નોંધાવી છે.
આ પણ વાંચો : #ઝીણી નજરે: ઈટાલિયા, ઈસુદાન, ઈન્દ્રનીલઃ કેજરીવાલના ત્રણ એક્કા વિધાનસભામાં પહોંચી શકશે?
એફઆઈઆર અનુસાર, બે આરોપી અને રાધેશ્યામના ભાઇ આશીષ સહિત ત્રણ લોકોએ સબરાબેન, તેમની પુત્રી આરફા અને સાક્ષી પિંટૂ ભાઈને તેમના નિવેદનો માટે ધમકાવ્યા. આ કેસમાં લિમખેડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
એક અન્ય સાક્ષી મન્સૂરી અબ્દુલ રજ્જાક અબ્દુલ મજીદે 1 જાન્યુઆરી, 2021માં શૈલેશ ચિમ્મનલાલ ભટ્ટ વિરૂદ્ધ દાહોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. તેમને આરોપ લગાવ્યો હતો કે પરોલ પર બહાર આવતા આરોપી તરફથી તેમને ધમકીઓ આપવામાં આવી હતી.
ફરિયાદમાં તે આરોપ લગાવવામાં આવ્યો કે લિમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર અને પૂર્વ રાજ્યમંત્રી અને લોકસભા સાંસદ જસવંત સિંહ ભાભોરે શૈલેષ ચિમ્મનભાઈ ભટ્ટને સમ્માનિત કર્યા અને સારા આચરણ માટે દોષીના વખાણ કર્યા. ફરિયાદમાં બે ભાજપ નેતાઓની શૈલેષ ભટ્ટ સાથે મંચ શેર કરવાની એક તસવીર પણ એટેચ કરવામાં આવી છે.
આ ફરિયાદ ક્યારેય એફઆઈઆરમાં પરિવર્તિત થઈ નથી.
બે અન્ય સાક્ષી, ઘાંસી આદમ ભાઈ ઈસ્માઇલ ભાઈ અને ઘાંચી ઈમ્તિયાજ ભાઈ યુસુફ ભાઈએ 28 જૂલાઈ, 2017માં એક આરોપી ગોવિંદ નાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમને આરોપ લગાવ્યો હતો કે, તેઓ સમાધાન કરવા પર સહમત ના થવા પર આરોપીએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી. આ ફરિયાદ પણ ક્યારેય એફઆઈઆરમાં ફેરવાઇ શકી નહીં.
મંગળવારે કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ આરોપીઓના સારા વ્યવહારનો હવાલો આપતા તેમની રિહાઈના નિર્ણયનો બચાવ કર્યો હતો.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએએ એનડીટીવીને જણાવ્યું હતું કે, જ્યારે સરકાર અને સંબંધિત લોકોએ નિર્ણય લીધો છે તો મને તેનાથી કંઈ જ ખોટું લાગ્યું નથી કેમ કે, આ કાનૂનની એક પ્રક્રિયા છે.
સીબીઆઈએ આ અપરાધને “જઘન્ય, ઘૃણાસ્પદ અને ગંભીર” ગણાવ્યો હતો, તે પછી સમયથી પહેલા રિહાઇના કાયદા હેઠળ બિલકિસના દોષિયોને રિહા કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણયને લઈને ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. આના પર મંત્રીએ દોષિતોના સારા આચરણનો ઉલ્લેખ કર્યો છે.
Advertisement