દહેરાદૂન: ઉત્તરાખંડના અંકિતા ભંડારી હત્યાકાંડના મુખ્ય આરોપી પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય અને ભાઇ અંકિત આર્યને ભાજપે તુરંત પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ અંકિત આર્યને ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ પંચના ઉપાધ્યક્ષ પદેથી હટાવી દીધા છે.
Advertisement
Advertisement
ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ મહામંત્રી રાજેન્દ્ર સિંહ બિષ્ટના નામથી જાહેર પત્રમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્ય પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે અંકિતાની હત્યા પર એક્શન લેતા ડૉ. વિનોદ આર્ય અને તેમના પુત્ર અંકિત આર્યને ભારતીય જનતા પાર્ટીમાંથી તુરંત સસ્પેન્ડ કર્યા છે.
CM ધામીએ આપી જાણકારી
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ટ્વિટર પર જણાવ્યુ, “અંકિતા હત્યાકાંડ કેસમાં અમે મુખ્ય આરોપી પુલકિત આર્યના ભાઇ અંકિત આર્યને ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ પંચના ઉપાધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. સાથે જ અંકિત આર્ય અને તેમના પિતા વિનોદ આર્યને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”
આરોપીના પિતા વિનોદ આર્યનું નિવેદન
અંકિતા હત્યાકાંડને લઇને મુખ્ય આરોપી પુલકિતના પિતા વિનોદ આર્યનું નિવેદન સામે આવ્યુ છે. ભાજપમાંથી સસ્પેન્ડ નેતા વિનોદ આર્યનું કહેવુ છે કે જિલ્લા તંત્ર તપાસ કરે અને અમે ખોટા છીએ તો કાર્યવાહી થવી જોઇએ.
18 સપ્ટેમ્બરે ગાયબ થઇ હતી યુવતી
મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડના પૌઢી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિસ્તારમાં એક રિસોર્ટમાં 18 સપ્ટેમ્બરે ગાયબ થયેલી અંકિતા ભંડારીનું શબ મળ્યુ છે. SDRF અને પોલીસની ટીમોએ સર્ચિગ દરમિયાન ચિલ્લા પાવર હાઉસથી એક યુવતીનું શબ જપ્ત કરી જિલ્લા પોલીસને સોપી દેવામાં આવ્યુ છે. પરિવારજનોએ શબની ઓળખ અંકિતાના રૂપમાં કરી લીધી છે. પોલીસે શબને પોસ્ટ મોર્ટ માટે ઋષિકેશ એમ્સ રેફર કરી દીધી છે.
પોલીસે આ મામલે 3 આરોપી રિસોર્ટ માલિક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાની ધરપકડ કરી છે. પુલકિત ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા વિનોદ આર્યનો પુત્ર છે. વિનોદ આર્ય ઉત્તરાખંડ ભાજપ સરકારમાં રાજ્ય મંત્રી રહી ચુક્યા છે.
Advertisement