નવી દિલ્હી: અલ કાયદાએ પોતાના મુખપત્રમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને ઉડાવવાની ધમકી આપી છે અને તેની જગ્યાએ મસ્જિદ બનાવવાની વાત કરી છે. આ વાત અલ કાયદાએ પોતાના મુખપત્ર ગજવા-એ-હિંદની ડિસેમ્બર એડિશનમાં લખી છે જેને આ અઠવાડિયે રીલિઝ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
આ મેગેઝિનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ પણ ઝેર ઓકવામાં આવ્યું છે. સાથે જ ભારતીય મુસ્લિમોને જિહાદનું સમર્થન કરવાની અપીલ કરવામાં આવી છે. આ મેગેઝિનમાં અમદાવાદમાં 2002 રમખાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અલ કાયદાની મેગેઝિનમાં લખવામાં આવ્યું, “શું થયુ જો બાબરી મસ્જિદના પાયા પર જે રામ મંદિર બની રહ્યુ છે તેને પણ તોડી નાખવામાં આવશે અને મૂર્તિઓની જગ્યાએ અલ્લાહના નામ પર બાબરી મસ્જિદનું પુનનિર્માણ કરવામાં આવશે.”
ગજવા-એ-હિંદમાં સંગઠને ભારતીય મુસ્લિમોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે, તેને લખ્યુ કે પહેલા જ મુસ્લિમ આટલુ નુકસાન ઝેલી ચુક્યા છે તો તેની માટે જીવ અને માલના નુકસાનથી ના ડરે. મેગેઝિને લખ્યુ, જો આ જાન અને માલને જિહાદ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આટલુ નુકસાન ના થાત.
મુખપત્ર અનુસાર, મોદી અને આદિત્યનાથ આ સમજે કે ગજવા-એ-હિંદ અને શરિયા કાયદો આ ટાપુમાં પાકિસ્તાનનો પ્રોપગેન્ડા છે. સંગઠને મુખપત્રમાં ભારતીય મુસલમાનો માટે ધર્મનિરપેક્ષતાને નર્ક અને હિન્દૂ-મુસ્લિમ ભાઇ-ભાઇના નારાને ફરેબ ગણાવ્યો છે.
મુખપત્રમાં અલકાયદા સંગઠને લખ્યુ, 30 વર્ષ પહેલા બાબરી મસ્જિદ તોડવામાં આવી હતી, 20 વર્ષ પહેલા પ્રેગનન્ટ મહિલાઓના પેટ કાપીને તેમના બાળકોને તેમની સાથે તેલ છાંટીને અમદાવાદમાં સળગાવવામાં આવ્યા હતા, આજે દરેક જગ્યાએ બુલડોઝર છે, જય શ્રીરામ કહો નહી તો માથુ કાપી નાખીશું અને કાપવામાં પણ આવ્યા છે.
આ પણ વાંચો: અમિત શાહનો દાવો: અયોધ્યામાં એક વર્ષ પછી રામ મંદિરનું થશે ઉદ્દઘાટન, 55 % કામ પૂર્ણ થયુ
ભારત પર અલ કાયદાનું ધ્યાન કેન્દ્રિત તે સમયે થયુ જ્યારે પૂર્વ પ્રમુખ અયમાન અલ જવાહારીએ એપ્રિલમાં એક વીડિયો દ્વારા હિજાબ પ્રતિબંધ વિરૂદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગત વર્ષે 31 જુલાઇએ અફઘાનિસ્તાનના કાબુલમાં પોતાના ઘરમાં એક અમેરિકન ડ્રોન હુમલામાં અલ જવાહિરી માર્યો ગયો હતો.
અલ કાયદાના દક્ષિણ એશિયન વિંગના સંસ્થાપક, સના-ઉલ-હક જેને અસીમ ઉમરના નામથી પણ ઓળખવામાં આવે છે, 2019માં અફઘાનિસ્તાનના મૂસા કાલા જિલ્લામાં અમેરિકાના હવાઇ હુમલામાં માર્યો ગયો હતો. તે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાનો હતો.
અલ કાયદાનો પાયો 1988માં ઓસામા બિન લાદેને રાખ્યો હતો અને સંગઠન 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદથી ચર્ચામાં છે. અલ કાયદાએ લખ્યુ, “ભારતનો દરેક મુસલમાન, શાકભાજીવાળા, દિહાડી મજૂરથી લઇને વિધાનસભા, લોકસભા, રાજ્યસભાના સાંસદ, જામિયા મિલ્લિયા અને અલીગઢથી લઇને જામિયા ઉસ્માનિયા અને દેવબંધ સુધી તમામ સામે હિન્દૂ ચાકુ, ભાલા તલવાર તેજ કરી રહ્યા છે. તમામ હિન્દૂઓને લાઠી ચલાવવાનું શીખવાડી રહ્યા છે. શાકભાજી કાપનારા ચાકુઓથી મુસ્લિમોના માથા કાપવાની વાત હિન્દૂ મહિલાઓના મોઢાથી સંભળાઇ રહી છે.
સંગઠને લખ્યુ અલ કાયદા જિહાદ સામે લડવાનો ઇરાદો ધરાવે છે જેથી આખુ ભારત ઇસ્લામની દુનિયાનો ભાગ બની જાય અને મૂર્તિ પૂજા બંધ થઇ જાય. મેગેઝિનના અંતિમ પાના પર સંગઠને જિહાદની સમસ્યાનું હલ જણાવ્યુ છે, તેને એક લેખ લખ્યો છે- જામિયા મસ્જિદ શ્રીનગરથી બાબરી મસ્જિદ સુધી…જિહાદ હલ છે.
Advertisement