નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્દઘાટન 1 જાન્યુઆરી, 2024માં કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે તેની જાણકારી આપી છે. ખાસ વાત આ છે કે 2024માં જ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં રામ મંદિરના ઉદ્દઘાટનની તારીખને BJPના વોટ પૉલિટિક્સ સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે. અમિત શાહે રામ મંદિરના નિર્માણ અને તેના ઉદ્દઘાટનની જાહેરાતને લઇને કહ્યુ કે કોંગ્રેસે કોર્ટમાં રામ મંદિરના નિર્માણમાં અડચણ ઉભી કરી હતી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું નિર્માણ શરૂ કર્યુ હતુ.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે ત્રિપુરામાં ભાજપની જન વિશ્વાસ યાત્રાની સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની તારીખની જાહેરાત કરી હતી. અમિત શાહે કહ્યુ- 1 જાન્યુઆરી 2024 સુધી મંદિર તૈયાર થઇ જશે, તેમણે ત્રિપુરાના લોકોને પણ ટિકિટ બુક કરાવવા માટે કહ્યુ હતુ.
મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020માં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યુ હતુ અને મંદિરની આધારશિલા રાખી હતી. સુપ્રીમ કોર્ટે 2019માં દાયકા જૂના મુદ્દાનું સમાધાન કરતા અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કર્યો હતો. મંદિર નિર્માણનો પાયો મુકવાની સાથે જ રામ મંદિર માટે ચલાવવામાં આવેલુ ભાજપનું આંદોલન પૂર્ણ થયુ હતુ, જેને ભગવા દળને સત્તાના શિખર સુધી પહોચાડી દીધો હતો. ભૂમિ પૂજન સારંભાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને RSS પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.
રામ મંદિરના ભૂમિ પૂજન કર્યા બાદ પીએમ મોદીએ ત્યા હાજર લોકોને સંબોધિત કર્યા હતા. પીએણ મોદીએ પોતાના ભાષણની શરૂઆત જય શ્રીરામના નારા સાથે કરી હતી, તેમણે કહ્યુ હતુ કે જય સિયા રામના નારા આજે માત્ર અયોધ્યામાં જ નહી પણ આખા વિશ્વમાં ગુંજી રહ્યા છે. આ મારૂ સૌભાગ્ય છે કે રામ ભૂમિ ટ્રસ્ટે મને આમંત્રિત કર્યો અને આ પ્રસંગનો સાક્ષી બનવાની તક મળી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે સરયૂના કિનારે આજે સ્વર્ણિમ અધ્યાય લખાઇ રહ્યો છે. આજે પુરૂ ભારત રામમય છે. આખો દેશ રોમાંચિત છે, દરેક મન દીપમય છે. આજે આખુ ભારત ભાવુક છે.
રામ મંદિરનું કામ કેટલુ પૂર્ણ થયુ
350 મજૂર અને કારીગર દિવસ રાત કરે છે કામ
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રએ કહ્યુ કે મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે. જન્મભૂમિ પર 350 મજૂર અને કારીગર દિવસ રાત કામ કરી રહ્યા છે. આ સાથે જ એક હજાર મજૂર અને કારીગર રાજસ્થાનમાં ભરતપુર જિલ્લાના વંશી પહાડપુરમાં કામ કરી રહ્યા છે.
1800 કરોડ રૂપિયામાં બનશે મંદિર
રામ મદિરના નિર્માણ પર 1,800 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. શરૂઆતમાં ખર્ચનું બજેટ 500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ હતુ. મંદિર માટે શ્રદ્ધાળુઓએ 9000 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. દેશભરમાં શ્રદ્ધાળુઓએ રામ નામની ઇંટ પણ મોકલી હતી, જેને ગ્રાઉન્ડમાં ઉપયોગ કરવામાં આવી રહી છે.
રામ મંદિરમાં ત્રણ ફ્લોર હશે. આખુ મંદિર પરિસર 71 એકરમાં બનશે.8 એકરમાં રામ મંદિર બની રહ્યુ છે. મંદિરનો મુખ્ય ભવન 57400 સ્કવેયર એરિયામાં બની રહ્યો છે, જેની લંબાઇ 360 ફૂટ અને પહોળાઇ 235 ફૂટ છે. મંદિરનું શિખર 161 ફૂટ ઉંચુ હશે. મંદિરના પૂર્વ દિશામાં સિંહ દ્વાર હશે, અહી મુખ્ય પ્રવેશ દ્વાર પણ હશે.
મંદિરની ડિઝાઇન ગુજરાતીએ તૈયાર કરી
રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ગુજરાતી ચંદ્રકાંત સોમપુરા છે. સોમપુરા પરિવાર 131 મંદિરની ડિઝાઇન તૈયાર કરી ચુક્યુ છે. ફર્સ્ટ ફ્લોર પર ગર્ભગૃહ સહિત 5 મંડપ બની રહ્યા છે. રામ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવી રહ્યુ છએ. દરેક સ્તંભ પર ધર્મગ્રંથોના અનુરૂપ ચિત્ર ઉકેરવાાં આવશે.
રામ મંદિરનો પાયો 15 મીટર ઉંડો છે. 17000 ગ્રેનાઇટ પત્થર લાગી રહ્યા છે જે કર્ણાટકથી આવ્યા છે. ફાઉન્ડેશન પુરી રીતે સ્ટોનથી બનેલો છે. તમામ પત્થર 2 ટનના છે. મંદિરનું 55 % રામ પૂર્ણ થઇ ગયુ છે. મંદિરમાં રામ નવમીના દિવસે સૂર્યકિરણથી ભગવાન રામનો અભિષેક થશે.
Advertisement