નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ સિવાય પીએમ મોદીએ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓની પણ આધારશિલા રાખી હતી. વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઇગુડી રૂટ પર ચાલશે. કાર્યક્રમનું આયોજન હાવડા સ્ટેશન પર કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી મમતા બેનરજી અને રેલ્વે મંત્રી હાજર રહ્યા હતા.
Advertisement
Advertisement
હીરાબાના નિધન પર મમતા બેનરજીએ દુખ વ્યક્ત કર્યુ
મહત્વપૂર્ણ છે કે શુક્રવાર સવારે પીએમ મોદીના માતા હીરાબાનું નિધન થયુ છે પરંતુ છતા પણ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા નક્કી કરેલા કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન મમતા બેનરજીએ હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મમતા બેનરજીએ કહ્યુ કે માતાથી વધીને કઇ પણ નથી. વડાપ્રધાનજી આજે તમારી માટે આ દુખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુખ સહન કરવાની ક્ષમતા આપે. હું તમને અનુરોધ કરીશ કે તમે આ કાર્યક્રમને નાનો રાખો કારણ કે તમે અત્યારે માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.
બંગાળની પૂણ્ય ધરતીને નમન કરવાની તક- પીએમ મોદી
કેટલીક પરિયોજનાઓની ભેટ આપ્યા બાદ પીએમ મોદીએ પોતાનું સંબોધન કર્યુ હતુ. મોદીએ કહ્યુ કે બંગાળની પૂણ્ય ધરતીને આજે મારી માટે નમન કરવાની તક છે. બંગાળના કણ-કણમાં આઝાદીનો ઇતિહાસ સમાયેલો છે. જે ધરતી પરથી વંદે માતરમનો જયઘોષ થયો ત્યાથી વંદે ભારતને લીલી ઝંડી બતાવવામાં આવી. મોદીએ કહ્યુ કે આજે ઇતિહાસમાં 30 ડિસેમ્બરની તારીખનું ઘણુ મહત્વ છે. 30 ડિસેમ્બર 1943માં નેતાજી સુભાષચંદ્રબોઝે અંદમાનમાં તિરંગો લહેરાવીને ભારતની આઝાદીનું બ્યૂગલ ફૂક્યું હતુ. આ ઘટનાના 75 વર્ષ થવા પર વર્ષ 2018માં અંદમાન ગયો હતો અને નેતાજીના નામ પર એક ટાપુનું નામકરણ પણ કર્યુ હતુ.
Advertisement