અંકારા: તુર્કીની એક કોલસા ખાણમાં થયેલા બ્લાસ્ટમાં 28 લોકોના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે જેમનું રેસક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. આ વિસ્ફોટ બાર્ટિનના અમાસરા શહેરની સરકારી ટીટીકે અમાસરા મુસેસે મુદુર્લુગુ ખાણમાં થયો હતો.
Advertisement
Advertisement
સ્થાનિક અધિકારીઓએ જાહેરાત કરી કે ઉત્તરી તુર્કીમાં એક કોલસા ખાણની અંદર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા જ્યારે બચાવ દળના અન્ય લોકો રેસક્યૂ ઓપરેશનમાં લાગેલા છે. ઉર્જા મંત્રી ફાતિહ ડોનમેજે કહ્યુ કે પ્રાથમિક તપાસમાં સંકેત મળે છે કે વિસ્ફોટ ફાયરએમ્પને કારણે થયો હતો. બાર્ટિન પ્રોસીક્યુટર ઓફિસે જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરવામાં આવશે. જોકે, વિસ્ફોટનું કારણ હજુ સુધી ખબર પડી નથી.
વિસ્ફોટ સમયે ખાણમાં 110 લોકો હતા
દૂર્ઘટનાની જાણકારી આપતા ગૃહમંત્રી સુલેમાન સોયલૂએ જણાવ્યુ કે વિસ્ફોટ સમયે ખાણમાં 110 લોકો હતા, તેમણે કહ્યુ કે વિસ્ફોટ બાદ મોટાભાગના મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળી હતી પરંતુ 49 લોકો વધુ જોખમ ધરાવતા વિસ્તારમાં ફસાઇ ગયા હતા. મંત્રીએ કહ્યુ કે હજુ કેટલા લોકો ખાણમાં ફસાયેલા છે તેની જાણકારી નથી. જોકે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વૈશ્વિક ભૂખમરીની યાદીમાં પાકિસ્તાન-નેપાળ-શ્રીલંકા કરતા પણ ભારત પાછળ, 107માં નંબર પર પહોચ્યું
રેસક્યૂ ઓપરેશન ચાલુ
તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી AFADએ જણાવ્યુ કે 8 લોકોની સ્થિતિ ગંભીર છે. AFADએ કહ્યુ કે પાડોશી પ્રાંત સહિત વિસ્તારમાં કેટલાક બચાવ દળ મોકલવામાં આવ્યા છે. બાર્ટિન ગવર્નરના કાર્યાલયે કહ્યુ કે વિસ્ફોટમાં 28લોકો માર્યા ગયા છે. સ્વાસ્થ્ય મંત્રી ફહાર્ટિન કોકાએ ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ થવાની સૂચના આપી છે જેમાં આઠની સારવાર આઇસીયૂમાં કરવામાં આવી રહી છે.
Advertisement