નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આત્મનિર્ભર ભારતની અવધારણાને પ્રોત્સાહન આપવા માટે ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં સોલર પીવી માટે પીએલઆઈ સ્કીમનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સેમી કંડક્ટર મેન્યૂફેક્ચરિંગની ત્રણ યોજનાઓમાં હવે ફ્લેટ 50 ટકા ઈન્સેટિંવ આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જ્યારે સરકારે કેબિનેટની બેઠકમાં નેશનલ લોજિસ્ટિક પોલિસીની મંજૂરી આપી દીધી છે.
Advertisement
Advertisement
કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકૂરે જણાવ્યું કે સરકારે સૌલર પીવી મોડ્યુલ ટ્રાન્સ-2 માટે PLI સ્કીમને મંજૂરી આપી દીધી છે અને તે માટે 19.500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી દેશમાં સોલર પેનલ મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે.
કેબિનેટમાં સેમીકંડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યૂફેક્ચરિંગ ઈકોસિસ્ટમ ડેવલપમેન્ટ માટે સંશોધનને મંજૂરી આપી છે. ટેક્નોલોજી નોડ્સ તેમજ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, પેકેજિંગ અને અન્ય સેમિકન્ડક્ટર સુવિધાઓ માટે 50% પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી 2 લાખ લોકોને પ્રત્યક્ષ અને 8 લાખ લોકોને પરોક્ષ રોજગાર મળશે.
Advertisement