નવી દિલ્હીઃ જાપાનના વડા પ્રધાન ફુમિયોકિશિદા સોમવારે તેમની બે દિવસની મુલાકાતે ભારત પહોંચી ગયા છે. દિલ્હી વિમાનીમથકે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેમનું સ્વાગત કર્યું હતું. આજે બપોરે કિશિદા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને ઈન્ડો-પેસેફિક વ્યૂહનીતિ વિશે તેમનું વક્તવ્ય આપશે.
Advertisement
Advertisement
15 વર્ષ અગાઉ શિંઝો આબેએ તેમની પ્રથમ દિલ્હી મુલાકાત દરમિયાન ઈન્ડો-પેસેફિક સહયોગ વિશે તેમનું ભાષણ આપ્યું હતું. કિશિદા વડા પ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસા તથા પારસ્પારિક હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા પણ કરશે.
જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જાપાનના વડા પ્રધાને રાજઘાટ ખાતે વિઝિટર્સ બુક પર હસ્તાક્ષર કર્યા હતા અને તેમને મહાત્મા ગાંધીના જીવન વિશેના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદી અને કિશિદા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં વિવિધ મુખ્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે અને G7 તથા G20 વચ્ચેના સહકારની પુનઃ પુષ્ટિ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ટોકિયો G7ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે નવી દિલ્હી G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે.
બન્ને દેશો સાથે મળીને આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરશે
જાપાનના વડા પ્રધાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેઓ બન્ને દેશો આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવા અને ભારત-જાપાનની વિશેષ વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવા બંને દેશોએ જે ભૂમિકા ભજવવી જોઈએ તેના વિશે ચર્ચા કરવા માંગે છે.
વધુમાં, કિશિદા જાપાન-ભારત વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને મુક્ત તથા ઓપન હિંદ-પ્રશાંત હાંસલ કરવાની દિશા તરફના પ્રયાસો વિશે પણ ચર્ચા કરશે.
Advertisement