નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 75મી (Mahatma Gandhi’s Death Anniversary) પૃણ્યતિથિ છે. રાજઘાટમાં બાપૂની સમાધિ પર સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર બાપૂને શ્રદ્ધાંજલિ આપશે. આ પહેલા તેમણે ટ્વીટ કરીને બાપૂની પૃણ્યતિથિ પર તેમણે નમન કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે તે તેમના ઉંડા વિચારોને યાદ કરે છે.
Advertisement
Advertisement
30 જાન્યુઆરીની તારીખ દેશના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે દર્જ છે. 30 જાન્યુઆરી, વર્ષ 1948ની તે તારીખ છે જ્યારે નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ દિવસ આખા દેશ માટે નુકસાનનો દિવસ બની ગયો હતો માટે મહાત્મા ગાંધીની યાદમાં તેમની પૃણ્યતિથિએ ભારત શહીદ દિવસ તરીકે મનાવે છે.
I bow to Bapu on his Punya Tithi and recall his profound thoughts. I also pay homage to all those who have been martyred in the service of our nation. Their sacrifices will never be forgotten and will keep strengthening our resolve to work for a developed India.
— Narendra Modi (@narendramodi) January 30, 2023
પીએમ મોદીએ કહ્યુ, “હું બાપૂને તેમની પૃણ્યતિથિ પર નમન કરૂ છુ અને તેમના ઉંડા વિચારોને યાદ કરૂ છુ. હું તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપુ છુ જે રાષ્ટ્રની સેવામાં શહીદ થયા છે. બાપૂના બલિદાનોને ક્યારેય ભૂલાવવામાં નહી આવે અને વિકસિત ભારત માટે કામ કરવાનો અમારો સંકલ્પ મજબૂત કરતા રહીશુ.”
દર વર્ષે 30 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને ત્રણેય સેનાના પ્રમુખ (સેના, વાયુ સેના અને નૌસેના) દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપે છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ બાપૂની પૃણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે ટ્વીટ કરીને કહ્યુ, વિશ્વ શાંતિ અને ભારતની પ્રગતિનો જે માર્ગ તેમણે બતાવ્યો છે તે આજે પણ પ્રાસંગિક છે, તેમની પ્રેરણાથી આજે એક નવા યુગ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ પ્રગતિ પર છે.
पूज्य बापू की पुण्यतिथि पर मैं उन्हें नमन करते हुए अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ। विश्व शांति और भारत की प्रगति का जो मार्ग उन्होंने दिखाया वह आज भी बहुत प्रासंगिक है। उनकी प्रेरणा से ही आज एक नए और आत्मनिर्भर भारत का निर्माण प्रगति पर है।
— Rajnath Singh (@rajnathsingh) January 30, 2023
Advertisement