નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યુ છે જેમાં તે પીએમ મોદીની હત્યાની વાત કરી રહ્યા છે. જોકે, બાદમાં પટેરિયા પોતાના નિવેદનથી પલટી ગયા હતા. રાજા પટેરિયાએ કહ્યુ કે તેમણો અર્થ હતો કે આગામી ચૂંટણીમાં મોદીને હરાવો, તેમણે કહ્યુ કે આ ફ્લોમાં થિ જાય છે. ભાજપે વીડિયો શેર કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.
Advertisement
Advertisement
રાજા પટેરિયાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે કેટલાક કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. તે કહે છે કે મોદી ચૂંટણી ખતમ કરી નાખશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધાર પર વહેચી દેશે, દલિતો, આદિવાસી અને લઘુમતીઓનું જીવન ખતરામાં છે, જો બંધારણ બચાવવુ છે તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો. જોકે, બાદમાં તે કહે છે કે હત્યાનો અર્થ હાર છે.
ચૂંટણી હરાવવાનું કહ્યુ હતુ- રાજા
રાજા પટેરિયાએ વીડિયો વાયરલ થયા પછી કહ્યુ કે તેમનો અર્થ ચૂંટણીમાં ભાજપને હરાવવાનો હતો, તેમણે કહ્યુ આ ફ્લોમાં થયુ પરંતુ જે વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો, તેને માત્ર આ જ ભાગ ઉઠાવ્યો હતો. રાજાએ કહ્યુ કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મારો તે અર્થ નહતો, મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
Congress leader & former minister Raja Pateria incites people to kill PM Modi – earlier too Cong leaders spoke about death of PM Modi (Sheikh Hussain)
But now a death threat!
After “Aukat dikha denge” “Raavan” this is Rahul Gandhi’s Pyaar ki Rajniti? Will they act on him? No! pic.twitter.com/wH6LSi63g2
— Shehzad Jai Hind (@Shehzad_Ind) December 12, 2022
આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી- નરોત્તમ મિશ્રા
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના નિવેદન પર મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યુ કે પટેરિયાજીના નિવેદનને મે સાંભળ્યા, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી, તેમણે કહ્યુ કે ઇટાલીની કોંગ્રેસ છે અને ઇટાલીની માનસિકતા મુસોલિનીની છે. રાહુલ ગાંધીની યાત્રામાં સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર, સુશાંત ચાલી રહ્યા છે, તેમણે કહ્યુ કે મે એસપીને આ કેસમાં તુરંત ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા છે.
Advertisement