બેંગલુરૂ: રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ કર્ણાટકના બેલ્લારીમાં દૂર્ઘટનાનો શિકાર બની ગઇ છે. કોંગ્રેસની આ યાત્રામાં સામેલ 4 કાર્યકર્તા કરંટનો શિકાર બની ગયો છે. તમામને પ્રાથમિક સારવાર બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
જાણકારી અનુસાર, રવિવાર સવારે કર્ણાટકના બેલ્લારીથી યાત્રાની શરૂઆત થઇ હતી. અહીથી યાત્રા મૌકા નામના સ્થળે પહોચી હતી. આ યાત્રામાં સામેલ કેટલાક કાર્યકર્તા પાર્ટીનો ઝંડો અને લોખંડની લાકડી પકડેલા હતા. જેમાંથી જ 4 લોકોને કરંટ લાગ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ કે ઘટનાસ્થળ પર હાજર એમ્બ્યુલન્સના ડૉક્ટર્સે શરૂઆતની સારવાર કરી હતી અને 3 ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું
ઘટના બાદ રાહુલ ગાંધીનું પણ નિવેદન સામે આવ્યુ છે, તેમણે કહ્યુ કે આજે પોલથી ઝંડા બાંધતા સમયે કેટલાક સાથીઓને વિજળીનો ઝટકો લાગ્યો હતો, તેમણે સિવિલ હૉસ્પિટલ, ન્યૂ મોકા,બેલ્લારીમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત આ છે કે તેમણે ગંભીર ઇજા થઇ નથી. રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે હું તમામ લોકોને કહેવા માંગુ છું કે જ્યારે અમે ભારતને એકજુટ કરવાના મિશનમાં આગળ વધી રહ્યા છીએ તો કર્તવ્યોને પૂર્ણ કરવામાં સાવધાની રાખો.
12 રાજ્યમાંથી પસાર થશે ભારત જોડો યાત્રા
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઇ હતી. 3750 કિમીની સફર પુરી કર્યા બાદ આ યાત્રા જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ખતમ થશે. મુસાફરીમાં સામલે તમામ સભ્ય આ દરમિયાન 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થશે.
જનતા સાથે જોડાયેલા મુદા પર ફોકસ
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ફોકસ જનતા સાથે જોડાયેલા મુદ્દા પર છે. રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન બેરોજગારી, ખેડૂતોનું દેવા માફી, સારૂ શિક્ષણ જેવા મુદ્દા ઉઠાવી ચુક્યા છે, તેમણે કર્ણાટકમાં એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે રાજ્યના લોકો કન્નડ ભાષામાં પરીક્ષા ટેસ્ટ કેમ નથી આપી શકતા.
આ પણ વાંચો: PM મોદીની નીતિઓને કારણે 12.50 કરોડ લોકોએ રોજગાર ગુમાવ્યો: રાહુલ ગાંધી
ચાર રાજ્યમાં પસાર થઇ યાત્રા
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઇ હતી અને ચાર રાજ્ય- તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી પાર કરી ગઇ છે. ભારત જોડો યાત્રા 9 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
મહારાષ્ટ્ર: શરદ પવાર કરી શકે છે સ્વાગત
કોંગ્રેસના સૂત્ર દાવો કરી રહ્યા છે કે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને તેમના પુત્રી લોકસભા સાંસદ સુપ્રિયા સુલે ભારત જોડો યાત્રાનું સ્વાગત કરી શકે છે. આ બીજી વખત હશે જ્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં વિપક્ષનો કોઇ ટોચનો નેતા જોવા મળશે. આ પહેલા 7 સપ્ટેમ્બરે તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન યાત્રા શરૂ થવા પર કન્યાકુમારીમાં રાહુલ ગાંધીને તિરંગા સોપતા જોવા મળ્યા હતા.
Advertisement