બેંગલુરૂ: કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકના બેલ્લારીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની પીએમ મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે ભારતમાં 45 વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ બેરોજગારી છે. પીએમે કહ્યુ હતુ કે તે દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર આપશે, તો તે નોકરીઓ ક્યા છે?
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ કહ્યુ કે કર્ણાટકમાં 2.5 લાખ સરકારી પદ ખાલી કેમ છે? તેમણે કહ્યુ કે જો તમારે પોલીસમાં સબ ઇંસ્પેક્ટર બનવુ છે તો 80 લાખ રૂપિયા આપીને બની શકો છો. જો તમારી પાસે પૈસા છે તો તમે કર્ણાટકમાં સરકારી નોકરી ખરીદી શકો છો. જો તમારી પાસે પૈસા નથી તો તમે જીવનભર બેરોજગાર રહી શકો છો.
PM મોદીની નીતિઓને કારણે 12.50 કરોડ લોકોએ રોજગાર ગુમાવ્યો: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ કે વડાપ્રધાનની નીતિઓ નોટબંધી, GST અને કોવિડ મિસમેનેજમેન્ટને કારણે 12.50 કરોડ લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યુ કે લગભગ 3500 કિલોમીટર લાંબી યાત્રા એમ જ નથી થઇ શકતી, તેની પાછળ કોઇ તો શક્તિ છે. ભારત જોડો સમયની માંગ છ. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, જો કોઇ ભારતીય નથી ઇચ્છતો કે તેની પર, તેના પરિવાર પર નફરત-હિંસાનો પડછાયો પડે. ભારત જોડો યાત્રા આવા લોકોના મનનો અવાજ છે.
કોંગ્રેસ નેતાએ કહ્યુ કે ભારત જોડો યાત્રા દરમિયાન હું કેટલાક યુવાઓને પૂછુ છું કે શું તમને વિશ્વાસ છે કે કૉલેજ પછી તમને નોકરી મળશે? યુવાઓ તરફથી જવાબ મળે છે કે અમને વિશ્વાસ નથી, અમને નથી લાગતુ કે અમને નોકરી મળશે.
ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે આ યાત્રામાં તમને નફરત જોવા નહી મળે, યાત્રામાં તમને હિંસા જોવા નહી મળે. રાહુલ ગાંધીએ કહ્યુ કે ભીડમાં જ્યારે કોઇ પડી જાય છે, જ્યારે કોઇને ઇજા થાય છે, યાત્રામાં સામેલ તમામ લોકો તેની મદદ કરે છે, તેમણે આ સવાલ નથી પૂછવામાં આવતો કે ક્યા ધર્મના છો, કઇ જાતિના છો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, અમે એક મહિનાથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છીએ. આ યાત્રામાં અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જાતિના લોકો, વૃદ્ધ, બાળક, મહિલાઓ બધા એકજુટ થઇને ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અપનાવી રહી છે ખાસ રણનીતિ, PM મોદી પણ પ્રભાવિત થયા
ભાજપ અને સંઘની વિચારધારા દેશને વહેચી રહી છે
રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે આ યાત્રાને ભારત જોડો યાત્રાનું નામ આપ્યુ, કારણ કે અમને અને કરોડો લોકોને લાગ્યુ કે ભાજપ અને સંઘની નફરત, હિંસા ધરાવતી વિચારધારા દેશને વહેચી રહી છે, દેશને નબળી બનાવી રહી છે, તેમણે કહ્યુ કે આ હિન્દુસ્તાન પર એક રીતે આક્રમણ છે.
Advertisement