વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યૂનિટી નજીક ચાર્જીગ સ્ટેશનમાં ચાર્જમાં મુકેલી 20 જેટલી ઇ-રીક્ષામાં અચાનક આગ લાગતા 15 રીક્ષા બળીને ખાખ થઇ ગઇ હતી. હવે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના પ્રયાસથી ઇ-રીક્ષા ચલાવતી મહિલાઓને વળતર આપવામાં આવશે.
Advertisement
Advertisement
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચાર્જીગ સ્ટેશનમાં ચાર્જ કર્યા બાદ મુકેલી 20 જેટલી ઈ- રીક્ષામા અચાનક આગ લાગતાં 15 જેટલી ઈ રીક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.આ ઘટના બાદ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવી સહીતના આગેવાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.બળીને ખાખ થઈ ગયેલી 15 જેટલી ઈ રીક્ષા ચલાવતી સ્થાનિક મહિલાઓ બેરોજગાર થઈ ગઈ છે.જ્યાં સુધી નવી ઈ-રીક્ષા ન આવે ત્યાં સુધી બેરોજગાર મહિલાઓને ઘર ચલાવવા વળતર મળે એવી ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે KETO કંપનીના ઉચ્ચ અઘિકારીઓ સાથે ટેલીફોનીક રજુઆત કરી હતી.
આ રજુઆત બાદ KETO કંપનીના ઉચ્ચ અધિકારી કેવડીયા ખાતે આવી પહોંચ્યા હતા.કેવડીયા ખાતે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે KETO કંપનીના ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી હતી, એ બેઠક બાદ ડો.દર્શનાબેન દેશમુખના પ્રયાસને લીધે બેરોજગાર મહિલાઓને વળતર આપવાનું નક્કી થયું હતું.આ બાબતે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે KETO કંપનીના અધિકારીઓએ સારો સાથ સહકાર આપ્યો છે, એમણે સ્થાનિક મહિલાઓ વિશે વિચારી વળતર આપવાનું નક્કી કર્યું છે.સાથે ઈ-રીક્ષા ચલાવતી અન્ય મહિલાઓએ પણ બેરોજગાર મહિલાઓની મદદ કરવાનું વિચારી 3 દિવસ પોતે અને બાકીના 3 દિવસ બેરોજગાર બનેલી મહિલાઓને ઈ-રિક્ષા ચલાવવા આપવાનું નક્કી કર્યું છે.અગામી દિવસોમાં KETO કંપનીની નવી ઈ-રિક્ષાઓ આવી જશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચાજિંગ સ્ટેશનમાં મુકેલી 15 ઈ- રિક્ષામાં આગ, ગુણવત્તા સામે સવાલ
Advertisement