વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: દેશની પેહલી ગ્રીન અને ઇ-સિટી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગુરૂવારે ચાર્જીગ સ્ટેશનમાં ચાર્જીગ કર્યા બાદ મુકેલી 20 ઇ-રિક્ષાઓમાં અચાનક આગ લાગતાં 15 જેટલી ઈ- રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી.જો કે ચાર્જીગ સ્ટેશનમાં હાજર 2 યુવાનોએ પોતાના જીવના જોખમે 5 જેટલી ઈ- રિક્ષાઓને બચાવી લીધી હતી.બીજી બાજુ તંત્ર આ આગ હાઈવોલ્ટેજ કે બેટરી ફાટવા સહિતના ક્યાં કારણોસર ઘટના ઘટી તેની તપાસમાં જોતરાઈ ગયું છે.
Advertisement
Advertisement
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચાર્જીગ સ્ટેશનમાં ચાર્જીગ કર્યા બાદ મુકેલી KETO કંપનીની માલીકીની અને સંચાલિત 20 ઇ-રિક્ષાઓમાં અચાનક આગ લાગી જતાં 15 જેટલી ઈ- રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચાર્જીગ સ્ટેશનમાં ઈ- રિક્ષામાં અચાનક આગ લાગી હતી, ત્યારે એ આગ ક્યા કારણોસર લાગી હતી એની તપાસ તંત્રએ કરી છે કે કેમ એ પ્રશ્ન હાલ લોકોમાં ઉઠી રહ્યો છે.વારંવાર ઈ- રિક્ષામાં લાગી રહેલી આગને કારણે ઈ- રીક્ષાની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થાય છે.જો કે KETO કંપનીના પ્રતિનિધીએ કેવડીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ આપી છે, પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરાઇ રહી છે.આ ઉપરાંત KETO કંપનીના તજજ્ઞો દ્વારા તપાસ હાથ ધરાઇ છે.ચાર્જીગ કર્યા બાદ મુકેલી ઈ-રિક્ષામાં અચાનક આગ લાગતાં ઈ- રિક્ષા ચલાવી રહેલી સ્થાનિક મહિલા અને પ્રવાસ કરતા પ્રવાસીઓ કેટલા સુરક્ષિત છે એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.પ્રવાસીઓની એવી માંગ છે કે વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ પર ફરી રહેલી ઈ- રીક્ષાની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ.
સાગમટે 20 રીક્ષા સળગી ઉઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિતિનું સતા મંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.જોકે ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ આ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચારજીગના લીધે બની છે કે કેમ તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગ ફોડીયા તત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલના એકતાનગરને દેશની પેહલી ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી સતા મંડળ દ્વારા આ અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી.
Advertisement