કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ વાયનાડમાં પેટાચૂંટણીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે અને તમામની નજર ચૂંટણી પંચ પર ટકેલી છે.
Advertisement
Advertisement
ધ હિન્દુએ આ સમાચારને અખબારના પહેલા પાના પર સ્થાન આપ્યું છે. અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર, રાહુલ ગાંધીને સાંસદ તરીકે અયોગ્ય ઠેરવતા નોટિફિકેશનની નકલ ચૂંટણી પંચ અને કેરળના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ મોકલવામાં આવી છે.
અખબારે લોકસભા સચિવાલયના સૂત્રોને ટાંકીને કહ્યું કે ચૂંટણી પંચ આ અંગે સંજ્ઞાન લઈ શકે છે અને વાયનાડમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
અખબાર લખે છે કે તાજેતરના ઉદાહરણો પર નજર કરીએ તો ચૂંટણી પંચ એક સપ્તાહની અંદર પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે.
લક્ષદ્વીપના સાંસદ પીપી મોહમ્મદ ફૈઝલના કિસ્સામાં 13 જાન્યુઆરીએ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું અને 18 જાન્યુઆરીએ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
સપાના નેતા આઝમ ખાનની યુપી વિધાનસભાની સદસ્યતા 27 ઓક્ટોબરે ગઈ હતી અને 5 નવેમ્બરના રોજ તેમના વિધાનસભા મતવિસ્તાર રામપુરમાં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી પંચે આઝમ ખાનના કેસમાં નોટિફિકેશન બહાર પાડ્યા બાદ સુપ્રીમ કોર્ટે આઝમ ખાન હાઈકોર્ટમાં અપીલ દાખલ કરે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું હતું.
આ પછી ચૂંટણી પંચે પેટાચૂંટણીનું નોટિફિકેશન મોકૂફ રાખ્યું હતું. એડિશનલ સેશન્સ કોર્ટમાં આઝમ ખાનની અપીલ ફગાવી દેવામાં આવ્યા બાદ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
તેવી જ રીતે ફૈઝલના કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને કેરળ હાઈકોર્ટના આદેશનું સંજ્ઞાન લેવા જણાવ્યું હતું. હાઈકોર્ટે તેમની સજાના નિર્ણયને રદ કર્યો હતો. આ પછી ચૂંટણી પંચે પેટાચૂંટણીનું જાહેરનામું પાછું ખેંચવું પડ્યું હતું.
હવે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધીના કેસમાં ચૂંટણી પંચ કોર્ટના આદેશની રાહ જોશે કે નહીં. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો કોર્ટ દોષિત ઠરાવે તો રાહુલની સાંસદ તરીકેની ગેરલાયકાત રદ થઈ જશે.
અખબાર લખે છે કે નિષ્ણાંતોના મતે ચૂંટણી પંચે રાહુલ ગાંધીની અયોગ્યતાના મામલામાં થોડું સાવધાન રહેવું જોઈએ કારણ કે લોકસભાની સૂચનામાં કેટલીક “કાનૂની ખામીઓ” છે.
લોકસભા સચિવાલયના પૂર્વ જનરલ પીડીટી આચારીને ટાંકીને અખબારે લખ્યું છે કે નોટિફિકેશનમાં રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે પરંતુ વાયનાડ સીટ ખાલી જાહેર કરવામાં આવી નથી. આદર્શરીતે ચૂંટણી પંચ માત્ર ત્યારે જ કોઈ બેઠક માટે જાહેરનામું બહાર પાડી શકે છે, જ્યારે ખાલી જાહેર ન થઇ જાય.
Advertisement