ઇતિહાસના પાનામાં દર્જ એક મહાન શાસકના ધર્મ અને ઓળખને લઇને ટિપ્પણી શરૂ થઇ ગઇ છે. વાત થઇ રહી છે ચોલ વંશના મહાન શાસક રાજારાજ ચોલની. નેશનલ એવોર્ડથી સમ્માનિત તમિલ ડિરેક્ટર વેટરીમારને કહ્યુ છે કે રાજારાજ ચોલ હિન્દૂ રાજા નહતા. હિન્દી અને દક્ષિણ ફિલ્મના જાણીતા અભિનેતા કમલ હાસને પણ વેટરીમારનની વાતનું સમર્થન કર્યુ છે. સોશિયલ મીડિયા પર આ ચર્ચા એટલી ચાલી કે લોકો Raja raj Chola Religion ગૂગલ પર સર્ચ કરવા લાગ્યા છે.
Advertisement
Advertisement
રાજારાજ ચોલને લઇને આ વિવાદ શરૂ થયો ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ના રિલીઝ થયા પછી. 30 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી પોન્નિયિન સેલ્વન ફિલ્મમાં ચોલ સામ્રાજ્યની નૌસૈનિક શક્તિ અને તેમના સામ્રાજ્ય વિસ્તારને બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ચોલ વંશના રાજા પોન્નિયન સેલ્વનના જીવનને બતાવવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં રાજારાજ ચોલની ચર્ચા થાય છે. રાજારાજ ચોલ પ્રથમ આ સામ્રાજ્યના સૌથી પ્રતાપી રાજામાંથી એક હતા. ફિલ્મમાં અભિનેત્રી એશ્વર્યા રાય પણ છે.
ક્યાં અને કેવી રીતે થઇ ચોલ સામ્રાજ્યની સ્થાપના?
ચોલ સામ્રાજ્યનો ઇતિહાસ 1000 વર્ષ કરતા પણ જૂનો છે. આ સામ્રાજ્ય ભારતના દક્ષિણમાં કાવેરી નદીના કિનારે વિકસિત થયો છે. તિરૂચિરાપલ્લી આ સામ્રાજ્યનું પાટનગર હતુ. દક્ષિણ ભારતમાં ભવ્ય અને વિશાળ મંદિરોના નિર્માણ કરવાનું શ્રેય પ્રાપ્ત કરનારા ચોલ રાજાઓને કમલ હાસન અને વેટરીમારન અંતે હિન્દૂ કેમ નથી માનતા? તેમનો તર્ક જાણ્યા પહેલા ચોલ રાજવંશની સ્થાપના ક્યારે થઇ, ક્યા થઇ અને કોણે કરી તેના વિશે વિસ્તૃત જાણીયે.
NCERTના પુસ્તકમાં દર્જ ઇતિહાસ અનુસાર કાવેરી ડેલ્ટામાં મુટ્ટિરયાર નામના જાણીતા એક નાના પરિવારની સત્તા હતી. આ પરિવાર કાંચીપુરમના પલ્લવ રાજાઓને આધીન હતુ. આ દરમિયાન 849 ઇસવીસનમાં ચોલવંશના સરદાર વિજયાલયે આ મુટ્ટિરયારોને હરાવીને આ ડેલ્ટા પર કબજો જમાવ્યો અને ચોલ વંશની સ્થાપના કરી હતી. વિજયાલયે તંજાવૂર શહેરને વસાવ્યુ અને નિશુમ્ભસૂદિની દેવીનું મંદિર બનાવ્યુ.
વિજયાલયના ઉત્તરાધિકારી યોગ્ય નીકળ્યા, તેમણે પાડોશી વિસ્તારને જીત્યો અને રાજ્યની સીમાનો વિસ્તાર કર્યો. દક્ષિણ અને ઉત્તરના પાંડ્યન અને પલ્લવ આ રાજ્યનો ભાગ બની ગયા. 985 ઇસવીસનમાં રાજારાજ ચોલ પ્રથમ આ સામ્રાજ્યના શાસક બન્યા અને ચોલ રાજવંશની પ્રતિષ્ઠામાં કેટલોક ગણો વધારો કરી દીધો.
આ પણ વાંચો: ‘ભારત જોડો’ યાત્રામાં કર્ણાટક પહોંચીને રાહુલ ગાંધી સાથે જોડાયા સોનિયા ગાંધી
રાજારાજના મંદિર સ્થાપત્ય કલાનો ચમત્કાર
રાજારાજ અને તેમના પુત્ર રાજેન્દ્ર પ્રથમે તંજાવૂર અને ગંગઇકોંડચોલપુરમમાં જે વિશાળ મંદિર બનાવડાવ્યા છે તેના સ્થાપત્ય અને મૂર્તિ કલાની દ્રષ્ટીથી ચમત્કાર કહેવામાં આવે છે. રાજારાજને તમિલ સંસ્કૃતિમાં ઘણા મહાન માનવામાં આવે છે. 985-1014 સુધી ચાલેલા રાજારાજ ચોલના સામ્રાજ્યનો વિસ્તાર દક્ષિણમાં આધુનિક શ્રીલંકાથી લઇને ઉત્તરમાં ઓરિસ્સાથી લઇ માલદીવ સુધી હતો.
ચોલ રાજ્યના સંરક્ષણમાં બનેલી પિત્તળની પ્રતિમા દુનિયાની શાનદાર કલાકૃતિઓમાં ગણાય છે, જેમાં મોટાભાગના દેવી-દેવતાઓ અને આરાધ્યોની હતી. આ કાળમાં મંદિર માત્ર આસ્થા અને ભક્તિનું જ નહી પણ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું કેન્દ્ર હતા. આ રાજવંશે આધુનિક તમિલનાડુની જીવન રેખા જ બદલી નાખી હતી. બૃહદેશ્વર મંદિર, રાજરાજેશ્વર મંદિર પણ ચોલ રાજાઓએ બનાવડાવ્યા હતા. આ મંદિરોએ દ્રવિડ વાસ્તુકલાને ઉંચાઇઓ પર પહોચાડી હતી. ચોલ વંશના રાજાઓએ દક્ષિણ ભારત પર લગભગ 500 વર્ષ સુધી શાસન કર્યુ.
કમલ હાસન રાજારાજને હિન્દૂ કેમ નથી માનતા?
મંદિર, મૂર્તિઓના અતૂલ્ય નિર્માણ છતા કમલ હાસન રાજા રાજને હિન્દૂ ધર્મના કેમ નથી ગણતા, જેનો તર્ક આપતા તેમણે કહ્યુ, “રાજારાજ ચોલના કાળમાં હિન્દૂ ધર્મ નામની કોઇ વસ્તુ હતી જ નહી, તે સમયે વૈષ્ણવ, શૈવ હતા અને આ અંગ્રેજ હતા જેમણે હિન્દૂ શબ્દ ગઢ્યો કારણ કે તે નહતા જાણતા કે તેમાં સામૂહિક રીતે કેવી રીતે વ્યક્ત કરવામાં આવે. આ તે રીત છે જેને તેમણે થુથઉકુડીના તૂતીકોરિનમાં બદલી નાખ્યુ. કમલ હાસને કહ્યુ કે આઠમી સદીમાં કેટલાક ધર્મ અને આસ્થાઓ લોકો વચ્ચે જન્મી રહી હતી.
કમલ હાસને તાજેતરમાં કલાકારો અને ક્રૂ સાથે ફિલ્મ પોન્નિયિન સેલ્વન જોઇ હતી, તેમણે કહ્યુ કે આ ઇતિહાસ પર આધારિત એક કથાની ઉજવણી કરવાની ક્ષણ છે, તેમણે કહ્યુ કે ઇતિહાસને વધારી ચઢાવીને રજૂ ના કરો અને ના તો તેમાં ભાષાના મુદ્દાને સામેલ કરો.
ડિરેક્ટર વેટરીમારને પણ કહ્યુ હતુ કે સતત અમારૂ પ્રતીક અમારી પાસેથી છીનવવામાં આવી રહ્યા છે. તિરૂવલ્લુવરનું ભગવાકરણ કરવુ અથવા રાજારાજ ચોલને હિન્દૂ રાજા કહેવુ તેનું જ ઉદાહરણ છે, તેમણે કહ્યુ કે થિયેટર આમ આદમી માટે છે, માટે પાછળની રાજનીતિને સમજવી જરૂરી છે.
Advertisement