આજે 25 ઑક્ટોબર મંગળવાર એટલે આજે ભારત અને દુનિયાના કેટલાક ભાગમાં આંશિક સૂર્યગ્રહણ દેખાયું. આ સૂર્યગ્રહણ યુરોપ, મધ્ય પૂર્વ, આફ્રિકાના ઉત્તર-પૂર્વ ભાગ, પશ્ચિમ એશિયા, ઉત્તર ઍટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાયુ હતુ.
Advertisement
Advertisement
ભારતમાં સૂર્યગ્રહણ પૂર્વોત્તરનાં કેટલાંક રાજ્યોને છોડીને મોટા ભાગના વિસ્તારના લોકોએ તેની મજા લીધી હતી. આંશિક સૂર્યગ્રહણના ત્રણ તબક્કા હોય છે. શરૂઆત, મહત્તમ પૉઇન્ટ અને અંત.
અહેવાલો અનુસાર, ગુજરાતમાં કેટલાંક મંદિરો ગ્રહણ દરમિયાન બંધ રાખવામાં આવ્યા હતા, તો અરવલ્લીનું શામળાજી મંદિર ગ્રહણ દરમિયાન ખુલ્લું જ રહ્યું હતું.
અમદાવાદમાં સૂર્યગ્રહણની શરૂઆત બપોરના 4 વાગ્યા ને 38 મિનિટે થઇ હતી, જે સૂર્યાસ્તના 6 વાગ્યા ને 06 મિનિટ સુધી ચાલું રહી. કુલ એક કલાક અને 27 મિનિટ સુધી સૂર્યગ્રહણ દેખાયો.
ભારતમાં સૂર્યગ્રહણને લઇને અનેક વાતો પ્રચલિત છે. દેશમાં ગ્રહણને ધર્મ સાથે જોડીને પણ જોવામાં આવે છે. આ ગ્રહણથી અનેક રાશિઓ પર તેની કેવી અસર થશે તે અંગેના સમાચાર પણ તમને વાંચવા મળશે. જોકે, સૂર્યગ્રહણના દિવસે મુસ્લિમ દેશોમાં શું કરવામાં આવે છે તે અંગે આર્ટિકલમાં માહિતી આપીશું.
સૂર્ય ગ્રહણ (Solar Eclipse)ને લઇને ભારતમાં અનેક રીતની માન્યતાઓ છે. ભલે તેનો કોઇ વૈજ્ઞાનિક આધાર ન હોય પરંતુ લોકો આને શુભ માનતા નથી. આ સમયે કોઈ શુભ કામ કરતાં નથી. મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. ખાવા-પીવાની ચીજોમાં તુલસીના પત્તા નાંખી દે છે પરંતુ સૂર્ય ગ્રહણ થવા પર ઇસ્લામિક દેશોમાં શું કરે છે? ત્યાં આને લઈને શું માન્યતાઓ અને મિથક છે?
મુસ્લિમ દેશોમાં પણ ગ્રહણને માને છે અશુભ
એવું માનવામાં આવે છે કે (સ.અ.વ) હજરત મોહમ્મદ પયંગમ્બર સાહેબના પુત્રની મોત સૂર્ય ગ્રહણના સમયે જ થઇ અને 2 જૂલાઇ ઇ પૂર્વ 632માં અન્ય એક સૂર્ય ગ્રહણના દિવસે પયગમ્બર સાહેબના જમાઇ વિરૂદ્ધ બળવો થયો હતો. સૂર્યગ્રહણને કયામતનો સમય પણ માનવામાં આવે છે. જોકે, જામિયા મિલિયા ઇસ્લામિયામાં ઉર્દૂના પ્રોફેસ ખાલિદ મુબસ્સિર કહે છે કે પયગમ્બર સાહેબના પુત્રન મોતને લઇને ચાલી રહેવી વાતો માત્ર મિથક છે.
પ્રોફેસર ખાલિદ મુબસ્સિરના જણાવ્યા અનુસાર, હજરત મોહમ્મદ સાહેબના સમયમાં લોકો સૂર્ય ગ્રહણ દરમિયાન ડરી જતાં હતા. મસ્જિદો તરફ ભાગતા હતા. સૂર્ય ગ્રહણના સમયે મોહમ્મદ સાહેબના પુત્રનું મોત થઇ ગયું એવી કોઈ જ વાત નહતી. આ બધી માત્રને માત્ર વાર્તાઓ છે. તે બેકારની વાતો છે.
કહેવામાં આવે છે કે સૂર્યગ્રહણ થવા પર મોહમ્મદ સાહેબ મસ્જિદમાં જતાં રહેતા હતા અને સૌથી લાંબો સજદો કરતાં હતા. ગ્રહણના સમયે અલ્લાહને યાદ કરવા અને પોતાના ગુન્હા (પાપ)ઓ માટે માફી માંગવાની સલાહ આપવામાં આવતી હતી. પ્રોફેસર ખાલિદે જણાવ્યું કે ઇસ્લામમાં ચંદ્રગ્રહણના સમયે નમાઝ-એ-કુસુફ અને સૂર્યગ્રહણના સમયે નમાઝ-એ-ખુસુફ અદા કરવાની પ્રથા છે. ગ્રહણની ખરાબ અસર ન થાય તે માટે નમાઝ પઢવામાં આવે છે.
Advertisement