દહેરાદૂન: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન થતા લોકોને રેસક્યૂ કરવામાં આવી રહ્યા છે. ગઢવાલના અન્ય જિલ્લામાં પણ જમીન ધસવા અને મકાનમાં તિરાડની આવી રહેલી તસવીરોએ રાજ્યમાં લોકોને ડરાવી દીધા છે. એક તરફ જોશીમઠની દયનીય સ્થિતિ છે તો ગઢવાલના 25-30 ગામ એવા છે જ્યા ભૂસ્ખલન થઇ રહ્યુ છે.
Advertisement
Advertisement
ટિહરી જિલ્લાના નરેન્દ્રનગરના અટાલી ગામમાં રિષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે સ્ટેશનના નિર્માણથી અટાલી ગામના કેટલાક પરિવારોની કૃષિ ભૂમિ સહિત મકાનમાં તિરાડ પડી ગઇ છે. અટાલી ગામની કૃષિ જમીન પર 2થી ત્રણ દિવસથી દોઢ ફૂટ સુધીની તિરાડ પડી ગઇ છે જેને કારણે ગામના કેટલાક ઘર ખતરામાં આવી ગયા છે.
ગામમાં તિરાડને જોતા અટાલી ગામના પીડિત પરિવારોમાં રેલ્વે વિભાગ વિરૂદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. પીડિત પરિવારોનું કહેવુ છે કે તેમણે રેલ્વે નિર્માણ કામનો વિરોધ નથી કર્યો પણ હવે ગામની કૃષિ ભૂમિ અને ઘરમાં તિરાડ પડી રહી છે.
પીડિત પરિવારોનું કહેવુ છે કે તંત્ર અને રેલ્વેના અધિકારી અહી સ્થિતિ જોવા તો આવે છે પણ આશ્વાસન આપીને જતા રહે છે. ગ્રામીણોનું કહેવુ છે કે અટાલી ગામમાં તેમની જમીન છે. હવે આ સ્થિતિમાં તેમણે છોડીને જઇએ તો કેવી રીતે જઇએ? પીડિત પરિવારના લોકોનું એમ પણ કહેવુ છે કે રેલ્વેએ જમીનનું વળતર આપીને તેમનું વિસ્થાપન કરવુ જોઇએ.
ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઇવે ઉપર વાડિયા ગામના અસ્તિત્વ પર ખતરો મંડરાઇ રહ્યો છે. વર્ષ 2013ની આફત દરમિયાન યમુના નદીમાં પૂર આવતા આ ગામના નીચે જમીન ધસવા લાગી હતી. ધીમે ધીમે ગામના ઘરમાં તિરાડ પડવા લાગી હતી. યમુનોત્રી ધામ જનારા એકમાત્ર નેશનલ હાઇવે પણ ધસવા લાગ્યો હતો.
જોશીમઠ ભૂસ્ખલનને લઇને PMOએ બેઠક બોલાવી
જોશીમઠમાં ભૂસ્ખલનને લઇને PMOની બેઠકમાં વડાપ્રધાનના મુખ્ય સચિવે સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ઉત્તરાખંડના મુખ્ય સચિવે જોશીમઠ મામલે PMOને જાણકારી આપી હતી. કહેવામાં આવ્યુ કે જમીન ધસવાથી પ્રભાવિત પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોચાડવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં કહેવામાં આવ્યુ કે કેન્દ્ર સરકારની એજન્સી અને જાણકાર યોજના તૈયાર કરવામાં રાજ્ય સરકારની મદદ કરી રહ્યા છે. 7 અલગ અલગ વિભાગ તેની પર પોતાનો રિપોર્ટ તૈયાર કરશે.
Advertisement