પૌડી ગઢવાલઃ ઉત્તરાખંડમાં ગઈકાલે રાત્રે પૌડી ગઢવાલ બસ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે. પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવ્યા, ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીજીપી અશોક કુમારે આ વાતની પુષ્ટિ કરી છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ કહ્યું કે ઉત્તરાખંડના પૌડીમાં થયેલ બસ દુર્ઘટના હૃદયને હચમચાવી દેનારી છે. આ દુઃખદ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. બચાવ કાર્ય ચાલુ છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના પૌડી જિલ્લાના બિરખાલ વિસ્તારમાં 45-50 લોકોને લઈને એક બસ ખીણમાં પડી ગઈ હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. લગ્ન સમારોહ માટે લાલધાંગથી બીરખાલના એક ગામ તરફ જઈ રહેલી બસને સિમરી મોર પાસે અકસ્માત નડ્યો હતો.
સ્થાનિક લોકોને જાણ થતાં જ સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અંધારું હોવાથી બચાવકર્મીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે લાઇટિંગની વ્યવસ્થા નહોતી. ગ્રામજનોએ મોબાઈલ ફોનની ફ્લેશલાઈટની મદદથી લોકોને શોધ્યા.
પોલીસ-પ્રશાસનના અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય માટે એમ્બ્યુલન્સ, જીવન રક્ષક ઉપકરણો પણ સ્થળ પર મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૌરીમાં બસ દુર્ઘટના બાદ સ્થિતિની સમીક્ષા કરવા દેહરાદૂનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફિસની મુલાકાત લીધી છે.
Advertisement