નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ભારતમાં અપરણિત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાતનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ભારતમાં તમામ મહિલાઓને પસંદ કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યુ છે કે ભારતમાં અપરણિત મહિલાઓને પણ એમપીટી એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે.
Advertisement
Advertisement
ભારતમાં ગર્ભપાત કાયદા હેઠળ વિવાહિત અને અપરણિત મહિલાઓમાં ભેદ ના કરી શકાય. ગર્ભપાતના ઉદ્દેશ્યથી રેપમાં વૈવાહિક રેપ પણ સામેલ છે. SCએ વિવાહિત અને અપરણિત મહિલાઓ વચ્ચે ગર્ભપાતનો અધિકાર મિટાવતા પોતાના નિર્ણયમાં કહ્યુ છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી (MTP) એક્ટથી અપરણિત મહિલાઓને લિવ-ઇન રિલેશનશિપમાંથી બહાર કરવુ ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે કલમ 21 હેઠળ પ્રજનનની સ્વાયતતા ગૌરવ અને ગોપનીયતાની અધિકાર એક અપરણિત મહિલાને આ હક આપે છે કે તે વિવાહિત મહિલાના સમાન બાળકને જન્મ આપે કે નહી.
કોર્ટે કહ્યુ કે 20-24 અઠવાડિયા વચ્ચે ગર્ભ રાખનારી સિંગલ અથવા અપરણિત ગર્ભવતી મહિલાઓને ગર્ભપાત કરતા રોકવા, જ્યારે વિવાહિત મહિલાઓને એવી સ્થિતિમાં ગર્ભપાતની પરવાનગી આપવી બંધારણીય કલમ 14ની આત્માનું ઉલ્લંઘન હશે.
કોર્ટે કહ્યુ છે કે કોઇ કાયદાનો લાભ સંકુચિત પિતૃસત્તાક સ્ટીરિયોટાઇપ્સના આધારે નિર્ણય ન લેવો જોઈએ. આ સાથે, કાયદાનો આત્મા સમાપ્ત થઈ જશે.
Advertisement