ઇસ્તંબુલ: તુર્કીના દક્ષિણમાં સીરિયન સરહદ પાસે આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા 21,000ને પાર પહોચી ગઇ છે અને આ આંકડો સતત વધતો જઇ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યુ કે હજુ આ આફતમાં થયેલા નુકસાનની તસવીર સ્પષ્ટ થઇ નથી. સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપને સદીની સૌથી મોટી આફતના રૂપમાં જોવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
ઠંડને કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી
સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ ટ્રેડોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યુ કે તુર્કી અને સીરિયામાં ઠંડને કારણે રાહત અને બચાવ કાર્યમાં તકલીફ પડી રહી છે અને ભૂકંપ પછી 100 કલાકથી વધુ સમય વિતી ગયા બાદ કાટમાળમાં દબાયેલા લોકોના જીવતા બચવાની આશા ઓછી છે. આ વચ્ચે ભૂકંપથી જે લોકો બચી ગયા છે, તેમના માટે અહી રહેવાની જગ્યા સિવાય, ખાવા-પીવાની વસ્તુની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે.
Advertisement