અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે મોરબી બ્રિજ દૂર્ઘટનાને લઇને કરવામાં આવેલા ટ્વીટને લઇને આ કાર્યવાહી કરી છે. ઓક્ટોબરમાં મોરબી પુલ તૂટતા 135 લોકોના મોત થયા હતા.
Advertisement
Advertisement
પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે સાકેત સોમવાર રાત્રે 9 વાગ્યે નવી દિલ્હીથી ફ્લાઇટ લઇને જયપુર પહોચી ગયા હતા. અહી લેન્ડ કરતા જ તેમની રાહ જોઇ રહેલી ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. મંગળવાર સવારે 2 વાગ્યે તેમણે પોતાની માતાને ફોન કરીને ધરપકડની જાણકારી આપી હતી અને જણાવ્યુ કે તેમણે અમદાવાદ લઇ જવામાં આવી રહ્યા છે.
ધરપકડ દરમિયાન પોલીસે તેમણે બે મિનિટ ફોન કોલની પરવાનગી આપી હતી. તે બાદ ફોન સહિત તમામ સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો. બ્રાયને કહ્યુ, ‘અમદાવાદ સાઇબર સેલમાં મોરબી પુલ દૂર્ઘટનાને લઇને ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમણે કહ્યુ આ બધુ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચુપ નથી કરી શકતા, તેમણે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.
Advertisement