ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કામાં 182 બેઠકમાંથી 89 બેઠક પર મત નાખવામાં આવી રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પીએમ મોદીએ પંચમહાલના કાલોલમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ ઔકાત, હિટલર, રાવણ જેવા નિવેદનને લઇને કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસમાં ગાળ બોલવાની કોમ્પિટિશન ચાલી રહી છે, કોઇ મને હિટલર તો કોઇ રાવણ કહે છે.
Advertisement
Advertisement
મારા ગુણ કોંગ્રેસીઓને પરેશાન કરી રહ્યા છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે જે મોદીને તમે બનાવ્યા છે, તેનું અપમાન તમારૂ અપમાન છે કે નથી. પીએમ મોદીએ કહ્યુ, હું ગુજરાતનો દીકરો છું, તમે મને જે ગુણ આપ્યા છે, ગુજરાતે મને જે તાકાત આપી છે, જે ગુણ ગુજરાતે મને આપ્યા છે, તે ગુણ આ કોંગ્રેસીઓને પરેશાન કરી રહ્યા છે. પીએમ મોદીએ રેલીમાં કહ્યુ, જો તમારી પાંચ આંગળી ઘીમાં છે તો એક આંગળીથી કમળનું બટન દબાવો.
ભારત વિશ્વનું સૌથી મોટુ મોબાઇલ ફોન નિર્માતા દેશના રૂપમાં ઉભર્યુ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ, “વર્ષ 2014 પહેલા કોઇએ વિચાર્યુ નહતુ કે ભારત મોબાઇલની દુનિયામાં આટલી મોટી ક્રાંતિ કરી શકે છે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો હતો ત્યારે ત્યા મોબાઇલ ફોન બનાવવાની બે ફેક્ટરી હતી આજે 200થી વધારે ફેક્ટરી છે, હવે અમે વિશ્વના સૌથી મોટા મોબાઇલ ફોન નિર્માતા દેશના રૂપમાં ઉભર્યા છીએ.
કોંગ્રેસમાં કોમ્પિટિશન ચાલી રહી છે કે કોણ સૌથી વધુ ગાળ બોલી શકે છે- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યુ, કોંગ્રેસ પાર્ટીને તો રામ સેતુથી પણ નફરત છે. કોંગ્રેસને પીએમ પદને નીચુ બતાવવા માટે આ વાત પર કોમ્પિટિશન ચાલી રહી છે કે કોણ સૌથી વધુ ગાળ બોલી શકે છે. કોઇ રાવણ કહે છે તો કોઇ હિટલર કહે છે.
Advertisement