નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દારૂ નીતિને લઇને જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સિસોદિયાની અરજી પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે સુનાવણી કરી હતી. કોર્ટે આ ઘટનાને સાંભળવાનો ઇનકાર કરતા સિસોદિયાને હાઇકોર્ટ જવા કહ્યુ છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા CBI કસ્ટડીમાં છે.
Advertisement
Advertisement
CJIએ કહ્યુ કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જામીન અને બીજી રાહત માંગી રહ્યા છો. તમે અર્ણબ ગોસ્વામી અને વિનોદ દુઆ કેસનો હવાલો આપ્યો હતો પણ તે બિલકુલ અલગ હતો. તમારે નીચલી અદાલતમાંથી જામીન લેવા જોઇએ, ફરિયાદ રદ કરાવવા માટે હાઇકોર્ટ જવુ જોઇએ.
સીધુ સુપ્રીમ કોર્ટ તેને નથી સાંભળી શકતુ
મનીષ સિસોદિયા તરફથી હાજર રહેલા વકીલ એએમ સિંઘવીએ કહ્યુ કે મને માત્ર 3 મિનિટ બોલવા દો. મને (સિસોદિયા)ને માત્ર 2 વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. ધરપકડ પહેલા અરણેશ કુમાર કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન નથી થયુ. ના મારી પર પુરાવા સાથે છેડછાડનો આરોપ છે, ના મારા ભાગવાનો અંદેશો હતો. CJIએ કહ્યુ કે આ વાત સાચી હોઇ શકે છે પરંતુ સીધુ સુપ્રીમ કોર્ટ તેને નથી સાંભળી શકતુ.
હાઇકોર્ટમાં જાવો, અમે નહી સાંભળીયે- CJI
જસ્ટિસ નરસિમ્હાએ કહ્યુ કે આ ઘટના દિલ્હીની છે, તેનો અર્થ એવો નથી કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવી જાવ. સિંઘવીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટ મૌલિક અધિકારોનું સંરક્ષક છે. CJIએ પૂછ્યુ કે કેસ કઇ કલમમાં છે. સિંઘવીએ કહ્યુ કે ભ્રષ્ટાચાર નિરોધક કાયદાની કલમ 7નો છે. સીજેઆઇએ કહ્યુ કે તમે જે પણ કહી રહ્યા છો, તે હાઇકોર્ટને કહો. અમે નહી સાંભળીયે.
હાઇકોર્ટના જજ વ્યસ્ત છે
સિંઘવીએ કહ્યુ કે રોસ્ટરના હિસાબથી હાઇકોર્ટમાં જે જજ પાસે ઘટના જવાની છે, તે એક ટ્રિબ્યૂનલનું પણ કામ જોઇ રહ્યા છે, તે વ્યસ્ત છે. કોર્ટે કહ્યુ કે તેની ચિંતા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કરશે, તેમણે જાવો. સિંઘવીએ કહ્યુ કે ધરપકડ ખોટી હતી. સીજેઆઇએ કહ્યુ કે અમે અહી જ છીએ પરંતુ પહેલા તમે હાઇકોર્ટ જાવો. અમે અત્યારે આ કેસને નથી સાંભળી શકતા. અરજી કરનાર વૈકલ્પિક કાયદાકીય ઉપાય અજમાવે.
મનીષ સિસોદિયા CBI કસ્ટડીમાં
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આમ આદમી પાર્ટીએ કહ્યુ કે અમે કોર્ટનું સમ્માન કરીએ છીએ. અમે હાઇકોર્ટમાં જઇશું. આબકારી નીતિમાં ભ્રષ્ટાચારને લઇને ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને દિલ્હીની એક કોર્ટે સોમવારે પાંચ દિવસ માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે કહ્યુ હતુ કે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ માટે જરૂરી છે કે તેમણે પૂછવામાં આવેલા સવાલોના યોગ્ય જવાબ મળે અને આ કોર્ટની રાયમાં આ આરોપીની કસ્ટડીમાં પૂછપરછથી જ શક્ય છે.
Advertisement