નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ‘વિદેશી આક્રમણકારીઓ’ના નામ પર રાખવામાં આવેલા શહેર, રસ્તા, બિલ્ડિંગ અને સંસ્થાના નામ બદલવા માટે નામકરણ આયોગની રચના કરવાની માંગ ધરાવતી જનહિત અરજીને ફગાવી દીધી છે.
Advertisement
Advertisement
જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની બેંચે આ જનહિત અરજી પર સવાલ ઉઠાવતા કહ્યું, “આ તે ભૂતકાળના મુદ્દાને જીવંત કરશે, જે દેશમાં વિવાદ ઉભો કરી શકે છે. હિન્દૂ ધર્મ એક મહાન ધર્મ છે, જે કટ્ટરતાની પરવાનગી આપતુ નથી.”
કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યુ, “તમે ભૂતકાળને પસંદગીપૂર્વક જોઇ રહ્યા છો. ભારત આજે ધર્મનિરપેક્ષ દેશ છે. તમે એક ચોક્કસ સમુદાય તરફ આંગળી ચીંધી રહ્યા છો, જેને અસંસ્કારી કહેવામાં આવે છે. શું તમે દેશને આગમાં ઝોકવા માંગો છો?”
બેંચે કહ્યુ કે કોઇ દેશનો ઇતિહાસ કોઇ દેશની વર્તમાન અને આવનારી પેઢીને તે હદ સુધી પરેશાન નથી કરી શકતી કે આવનારી પેઢી ભૂતકાળની કેદી બની જાય.
હિંદૂ ધર્મ કટ્ટરતાની પરવાનગી નથી આપતુ- સુપ્રીમ કોર્ટ
કોર્ટે કહ્યુ, હિંદૂ ધર્મ એક ધર્મ નથી પણ જીવન જીવવાની રીત છે. હિંદૂ ધર્મ કટ્ટરતાને મંજૂરી આપતો નથી, તેની મહાનતાને સમજવાનો પ્રયત્ન કરો અને તેનો કોઇ ચોક્કસ હેતુ માટે ઉપયોગ કરશો નહીં.”
કોર્ટે આમ કહેતા વિદેશી આક્રમણકારોના નામ પર સ્થાનના નામ બદલવા માટે ભાજપના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયની જનહિત અરજી અને નામકરણ કમિશનની સ્થાપનાની માંગ કરતી PIL ફગાવી દીધી હતી.
અરજીમાં શું કહેવામાં આવ્યું હતું?
એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે પોતાની અરજીમાં બંધારણની કલમ 21,25 અને 29ને ટાંકીને ઐતિહાસિક ભૂલોને સુધારવાની વાત કહી હતી.
અરજદારે કહ્યુ હતુ કે ઔરંગઝેબ રોડ, ઔરંગાબાદ, અલ્હાબાદ અને રાજપથ જેવા ઘણા નામોને બદલીને તેમનું સ્વદેશીકરણ કરવુ જોઇએ અને આ ઐતિહાસિક ભૂલોને સુધારવા માટે અરજી કરનારે કોર્ટના કેટલાક નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઇંદ્રપ્રથમાં ભગવાન કૃષ્ણ જેવા નાયકોનો ઉલ્લેખ નથી- અરજી કરનાર
અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે ભગવાન કૃષ્ણ અને બલરામના આશીર્વાદથી પાંડવોએ ખાંડવપ્રસ્થને ઇંદ્રપ્રસ્થ (દિલ્હી)માં બદલ્યુ હતુ પરંતુ ભગવાન કૃષ્ણ, બલરામ અને પાંડવો જેવા રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક નાયકોનો કોઇ ઉલ્લેખ નથી.
અરજી કરનારે કહ્યુ કે તાજેતરમાં સરકારે રાષ્ટ્રપતિ ભવનમાં બનેલા મુગલ ગાર્ડનું નામ અમૃત ઉદ્યાન કર્યુ છે પરંતુ દિલ્હીમાં હજુ સુધી કેટલીક એવી જગ્યાઓ છે, જે વિદેશી આક્રમણખોરોના નામ પર છે.
Advertisement